Tuesday, September 23, 2025

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ

 *આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ 


નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.


માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી 420 વર્ષ પૂર્વે 1601માં સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.


*પ્રથમ પંક્તિ*


*‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’*

 એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો. 


*બીજી પંક્તિ*


*‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’*

 બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.


 *ત્રીજી પંક્તિ*


*‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં`*

ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો. 

*ચોથી પંક્તિ

*‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’*

એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે. 


*પાંચમી પંક્તિ*


*‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’*

અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો. 


*છઠ્ઠી પંક્તિ*


 *‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’*

 મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.


*સાતમી પંક્તિ*


*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’*

સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો. 


*આઠમી પંક્તિ*


 *‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’*

(દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.


*નવમી પંક્તિ* 


*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’*

નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.


*દસમી પંક્તિ*


*‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’*

દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.


*અગીયારમી પંક્તિ*


 *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’*

નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.


*બારમી પંક્તિ*


*‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’* બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.


*તેરમી પંક્તિ* 


*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’*

હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.


*ચોદમી પંક્તિ* 


 *‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’*

શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.


*પંદરમી પંક્તિ* 


*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.


*સોળમી પંક્તિ*


*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.


*અંતિમ પંક્તિ*


*‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’*

આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.



*મા શક્તિ ના દરેક સ્વરૂપને સમજીને સાચા ઉચ્ચારણ થી આરતી કરવામાં આવે તો અચુક માં શક્તિ ના દરેક સ્વરૂપ આપને  સુખ ,સમૃદ્ધિ, લાભ,શાંતિ,આપે તેવી મા શકિત ને પ્રાથૅના....*




🙏🙏🙏🙏

Tuesday, July 29, 2025

*જે લોકો પોતાના પરિવાર* *માટે 22 વર્ષ થી 58 વર્ષ* *કમાવવા માં વ્યસ્ત રહે છે*

 😃🤔😃

*જે લોકો પોતાના પરિવાર*

*માટે 22 વર્ષ થી 58 વર્ષ*

*કમાવવા માં વ્યસ્ત રહે છે*

*આજે તેમને સમર્પિત છે*

*આ નાનકડી રચના*

----------------------------------

*કેવી રીતે  22 વર્ષ થી 58 વર્ષ*

 *ની આ સફર પુરી કરી*

*ખબર જ ના પડી* 😔


*શુ પામ્યા શુ ગુમાવ્યું*

*ખબર જ ન પડી* 😒


*બચપણ ગયુ*

*ગઈ જવાની*

*ક્યારે પ્રોઢઃ થયા*

*ખબર જ ના પડી* 🤔


*કાલ સુધી તો દીકરો હતો,*

*ક્યારે સસરો થયો*

*ખબર જ ના પડી* 😊


 *કોઈ કહેતું ડફોળ છે*

*કોઈ કહતું હોશિયાર છે*

*શુ સાચું હતું*

*ખબર જ ના પડી* 😉


*પહેલા માં બાપ નુ ચાલ્યું*

*પછી પત્ની નુ ચાલ્યું*

*પછી ચાલ્યું છોકરાઓ નુ*

*મારું ક્યારે ચાલ્યું*

*ખબર જ ના પડી* 😀


*દિલ કહે છે હજુ જવાન છુ,*

*ઉમ્ર કહે છે સાવ નાદાન છુ*

*બસ આ જ ચક્કર માં કયારે*

*પગ ઘસાઈ ગયા*

*ખબર જ ના પડી 😱*


*વાળ જતા રહ્યા*

*ગાલ લબડી ગયા*

*ચશ્માં આવી ગયા*

*કયારે સુરત બદલાઈ ગયી*

*ખબર જ ના પડી 🧖🏽‍♂️*


*કાલ સુધી કુટુંબ જોડે હતા*

*કયારે કુટુંબ વિખરાયો*

*કયારે નજીક ના દૂર ગયા*

*ખબર જ ના પડી 😒*


*ભાઈ બહેન સગા સબંધી*

*ટાણે ત્યોહારે ભેગા મળે*

*ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી*

*ખબર જ ના પડી 😊*


*જીંદગી ને જી ભરી જીવી લે*

*પછી ન કહેતો કે............*

*ખબર જ ના પડી*🙏

                   👏🏻🌹👏🏻

----------------------------------

_*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી 58 વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_

----------------------------------

_*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_

----------------------------------

_*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_

----------------------------------

_*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_

----------------------------------

_*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_

_*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ 

_*તેને "વિશેષ" બનાવી લઈએ !*_

----------------------------------

*"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* 

----------------------------------

 *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 

🌹

----------------------------------

                   *એટલે જ*


        *`એકબીજાનું માન રાખો```*

        *`ભૂલોને ભૂલી જાવ```*

        *`ઈગો ને એવોઇડ કરો.```*

      *```જિંદગી જેટલી બચી છે,*

      *```હસતાં હસતાં પુરી કરો.*

----------------------------------

*નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે...🙏

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 અને અંતે સત્સંગ જ કામ આવશે ભજન જોડે આવશે બીજું કંઈ નહીં આવે😁😁😁

Saturday, March 1, 2025

आप को लगेगा अजीब किन्तु यह सत्य है

 आप को लगेगा अजीब  किन्तु यह सत्य है

पिछले 68 सालों में पीपल, बरगद और नीम के पेडों को सरकारी स्तर पर लगाना बन्द किया गया है।

पीपल कार्बन डाई ऑक्साइड का 100% एबजॉर्बर है, बरगद 80% और नीम 75 % ।

इसके बदले लोगों ने विदेशी यूकेलिप्टस को लगाना शुरू कर दिया, जो जमीन को जल विहीन कर देता है...

आज हर जगह यूकेलिप्टस, गुलमोहर और अन्य सजावटी पेड़ो ने ले ली है ।

अब जब वायुमण्डल में रिफ्रेशर ही नहीं रहेगा तो गर्मी तो बढ़ेगी ही, और जब गर्मी बढ़ेगी तो जल भाप बनकर उड़ेगा ही ।


हर 500 मीटर की दूरी पर एक पीपल का पेड़ लगायें, 

तो आने वाले कुछ साल भर बाद प्रदूषण मुक्त भारत होगा । 🌳


वैसे आपको एक और जानकारी दे दी जाए ।


पीपल के पत्ते का फलक अधिक और डंठल पतला होता है, जिसकी वजह शांत मौसम में भी पत्ते हिलते रहते हैं और स्वच्छ ऑक्सीजन देते रहते हैं ।


वैसे भी पीपल को वृक्षों का राजा कहते है ।

इसकी वंदना में एक श्लोक देखिए ।


मूलम् ब्रह्मा, त्वचा विष्णु, सखा शंकरमेवच।

पत्रे-पत्रेका सर्वदेवानाम, वृक्षराज नमस्तुते।।


अब करने योग्य कार्य ।


इन जीवनदायी पेड़ों को ज्यादा से ज्यादा लगाने के लिए समाज में जागरूकता बढ़ायें ।

बाग बगीचे बनाइये, पेड़ पौधे लगाइये, बगीचों को फालतू के खेल का मैदान मत बनाइये.. जैसे मनुष्य को हवा के साथ पानी की जरूरत है, वैसे ही पेड़ पौधों को भी हवा के साथ पानी की जरूरत है ।

बरगद एक लगाइये, पीपल रोपें पाँच।

घर घर नीम लगाइये, यही पुरातन साँच।।

यही पुरातन साँच, आज सब मान रहे हैं।

भाग जाय प्रदूषण सभी अब जान रहे हैं ।।

विश्वताप मिट जाये, होय हर जन मन गदगद।

धरती पर त्रिदेव हैं, नीम पीपल और बरगद।।

Wednesday, January 3, 2024

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ*


સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો.

પણ...ત્યાં જ એના કાનમાં દૂર-દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે, ને એ રડે છે, કણસે છે. એટલે નક્કી એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર-દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે, ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે. એ જેમ-જેમ નીકળવાની કોશિશ કરે છે, એમ-એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે, અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જઉં તો, ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ જે મળવાનો છે, એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી! પણ...*ફલેમિંગના મનમાં દયા હતી.* દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું.

ખેડૂત ફલેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો, ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ને ખવડાવ્યું. બાળક શાંત થયો. 


 ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી. એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફલેમિંગ કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને *"પપ્પા! પપ્પા!*” કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં. એમણે દિકરાને તેડી લીધો, ને.. આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી.

ફલેમિંગ ખેડૂત હતો. એ ધનાઢય નો’તો, પણ...દિલની અમીરાઈ હતી એની પાસે!


ખેડૂત ફલેમિંગ બોલ્યો, “સર! સત્કાર્યનો ચાર્જ ન હોય, સત્કાર્ય તો ચાર્જર છે. જે આપણા નસીબને ચાર્જ કરી દે છે.’’ ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો, ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, “તો તમારે મારી એક વાત માનવી પડશે. તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. એને જેટલું ભણવું હોય, ને જ્યાં જઈ ભણવું હોય, સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ.”

ખેડૂત ફલેમિંગ આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો’તો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત, મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો. એનું વિશ્વપ્રસિધ્ધ નામ, *"એલેક્ઝાન્ડર ફલેમિંગ."*


એણે ઘણા સંશોધન કાર્યો કર્યા. ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા અને એક દિવસ ઈતિહાસ રચાયો. એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ગંભીર માંદગીમાં પટકાયો. એના બચવાની તકો ખૂબ ઓછી હતી. એ જ અરસામાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે *'Penicillin'* (પેનિસિલિન) ની શોધ કરી, જે આ બિમારી સામે અક્સીર દવા સાબિત થઈ, જે આજેય જગ વિખ્યાત છે.


એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે, આ દવાના શોધનાર સર એલેક્ઝાન્ડર ફલેમિંગ આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા, અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે, ત્યારે તેઓ ગદગદ બની ગયા.

અને જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને સર એલેક્ઝાન્ડર ફલેમિંગ ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ લાગણીભીના બની ગયા. ખેડૂત ફલેમિંગ કહે, "મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો." ધનાઢ્ય પરિવાર કહે, "મારા દિકરાને તમે બચાવ્યો." અને આ ગંભીર બિમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે, *સર વિન્સ્ટન ચર્ચિલ!*


જમીન...વાવેલા દાણા પાછા આપે કે ન આપે, બેંક...મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ...કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે આપે ને આપે જ! સમય પાકતા ને વખત આવતા, અને તેય અનેકગણા થઈને!


*એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય*

*ક્યારેય નિષ્ફળ જતું નથી.*✍🏻✅

Wednesday, December 13, 2023

અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન Befo2020

 અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન.*


ઉ.વ.78

        

1. પત્નિ અને પુત્રી ક્રિસમસ ટ્રી

   ખરીદવા જતાં રોડઅકસ્માતમાં

    મૃત્યુ પામ્યા. 

2. એક પુત્ર બ્રેઇન કેન્સરથી મૃત્યુ

     પામ્યો. 

3. બીજા પુત્રને ડ્રગ્સ ના વ્યસનના 

   કારણે નેવીમાંથી હાંકી કાઢવામાં 

    આવ્યો. 

4. બાઇડેન પોતે પણ સ્નાયુના

    લકવાની બીમારીનો (facial

    palsy) સામનો કરી ચુકયા છે. 

    તેમાંથી પસાર થઇ ચુકયા છે!!!!!          


 જીવનની આટલી વિપરીત પરિસ્થિતિ હોવાછતાં આ માણસ ૭૮ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા. 


તેઓ શારીરિક તેમજ માનસિક રીતે આટલી મોટી જવાબદારી નિભાવવા સક્ષમ છે.


         જ્યારે આપણે ૬૦ની ઉંમરે એવું માનીએ છીએ કે, "હવે બધું જ પુરું થઇ ગયું. હવે આપણાથી કાંઇ થાય નહી." જે બિલકુલ યોગ્ય નથી. 


        બધા સિનીયર સિટીઝનોએ બાઇડેનનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને નવી શરુઆત કરવાની છે.


 તમે હજુપણ યુવાન છો. તેથી તમે જીવનમાં હજુ સુધી જે કરી શક્યા નથી તે કરવા, શીખી શકયા નથી તે શીખવા, જાણી શકયા નથી તે અંગે જાણવા અને મેળવી શક્યા નથી તે મેળવવા તન-મનથી પ્રયત્ન કરો.


Friday, November 3, 2023

"ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"

  "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"


 એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડો દિવસ ઉઠ્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.


શું થયું?


વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર  એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું?  કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડવાની હતી.


આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું "હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો.


આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.


કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.


કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.


બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું, 

કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે...🙏🙏

Wednesday, September 20, 2023

આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સંવત ૨૦૨૯ ભાદરવા સુદ પાંચમ ને બુધવાર વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


તા. ૧-૦૯-૨૦૨૦

પાલનપુર


            આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની

જીવાદોરી  સમાન દાંતીવાડા   ડેમ સંવત  ૨૦૨૯ 

ભાદરવા  સુદ પાંચમ ને  બુધવાર  વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


વર્ષ ૧૯૬૫ માં દાંતીવાડા ડેમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું. અને વર્ષ ૧૯૭૩ માં ડેમમાં ગાબડું પડતાં  તુટ્યો હતો,  

આજનું દાંતીવાડા ગામ એ મુળ દાંતીવાડા નથી, પરંતુ  દાંતીવાડા ગામનું સ્થળાંતર કરીને તેને બીજે એટલે  કે ડેમથી ઉતર  દિશામાં  થોડેક દુર ફરી વસાવવામાં આવ્યું છે. 

 

ઘણા વર્ષો પછી આવું ચોમાસું જામ્યું છે. અત્યારે ભાદરવામાં વરસાદની હેલી થૈઈ રહી છે તેમ,  તે  સમયે જ્યારે દાંતીવાડા ડેમ તુટ્યો ત્યારે ભાદરવા માસની સુદ પાંચમ ને બુધવાર હતો. 


તે દિવસે ગુજરાત અને પુરા રાજસ્થાનમા  છેલ્લા પાંચ દિવસથી  વરસાદ મન મુકીને વરસતો હતો. એમ કહો કે ભાદરવાની હેલીના દિવસો હતા.  ભાદરવામાં જો મેઘ ☁️ વરસે તો અનરાધાર વરસે અને જો ના વરસે તો વરસાદ નું એક ટીપું પણ પડતું નથી. 


 કાળ ના ચક્રને કોણ ઓળખી શક્યું છે,  કે કોને  ખબર કે કાલે શું થવાનું છે. ઉપરવાસમાં વરસાદ ધીરે ધીરે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો. બાલારામ અને બનાસ નદી જાણે નશામાં ધૂત હોય તેમ ગાંડીતુર બનીને  બેઉં કાંઠે દરિયાની જેમ ઘુઘવતી વહી રહી હતી. નદીના પુરના પાણી નો

અવાજ સાંભળીને  કાંઠા વિસ્તાર ઉપર આવેલા ગામડાના લોકોના જીવ અધ્ધર કરી રહ્યા હતા.  પુરના પાણીની ભયંકર હોમ વાગી રહી હતી. ઉપર આકાશમાં ઘનઘોર કાળાં ડીબાંગ વાદળો જાણે

પ્રથ્વીના પ્રલયની તૈયારી કરતાં હોય તેમ મેઘની

સવારી સાથે જોડાયાં હતાં. 

દાંતીવાડા ડેમ પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બાજ નજર ડેમમાં આવતા અવિરત પાણીની આવક જોઈને ઘડી ઘડી જળ ડેમની સપાટી નોંધતા હતા.  ડેમની સપાટી પુર ઝડપે વધી રહી હતી. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૦ ફુટને આંબી ગઇ. હવે કોઈ પણ સંજોગોમાં

ડેમના દરવાજા ખોલવા જરુરી હતા. ફરજ પરના અધિકારીઓએ સંદેશો મોકલ્યો કે,  ડેમમાં પાણીની સપાટી સતત ભયજનક રીતે વધી રહી છે. જેથી અગમચેતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવા મંજુરી આપવામાં આવી. 

સ્થળપર ફરજ બજાવતા ઈજનોરેને ક્યાં ખબર હતી કે છેલ્લા આઠ વર્ષથી ડેમના બંધ દરવાજા ઓને કાટ લાગી ગયો હતો. ઈજનેરોની એક ટૂકડી

બંધ દરવાજા ખોલવા મહા મહેનત કરી હતી. આ

બાજું ક્લેક્ટરશ્રી દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું કે,  દાંતીવાડા ડેમ માં પાણીની સપાટી સતત ભયજનક રીતે  ઝડપથી વધી રહી છે જેથી

દરવાજા ખોલવાના હોઈ કાંઠા વિસ્તારના લોકોએ સાવધાન રહેવું અને નદી તરફ ના જવું.


એ સમયે સંદેશાના સાધનો ન હતાં. મોટાભાગના

સંદેશા વાયરલેસ મારફતે પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ પોઈન્ટ પર આપવામાં આવતા. અને મામલતદાર શ્રી જેતે નદી કાંઠે આવેલ ગામના તલાટીઓને ખાસ પટાવાળા મારફતે જાણ કરવામાં આવતી.

એથી વિશેષ કોઈ સગવડ ન હતી.

જોતજોતામાં દિવસના બાર વાગવા આવ્યા હતા.  કુશળ ઈજનોરોની આજે અગ્ની પરીક્ષા હતી. આમેય ડેમના દરવાજા ઓનું મેઈન્ટેઈનસ કામ ખુબ બારીકાઈથી કરવામાં આવે છે.  કારણ કે ડેમના દરવાજા મજબુત પોલાદના શક્તિશાળી અને વજનદાર હોય છે. એક દરવાજાનું  સરેરાશ વજન આશરે ૫૬ ટન જેટલું હોય છે. દાંતીવાડા ડેમ ૬૬૦૦ ફુટની લંબાઈમાં છે જેમાં ૧૦૭૩ ફુટ

પાકો બનાવવામાં આવેલ છે. બાકીનો કાચો માટીનો છે. જેની ચારેબાજુ આશરે ૧૬ કીમી ના અંતરમાં પથરાયેલો છે.


ડેમના દરવાજા ખોલવાની ચાર સિસ્ટમ ગોઠવેલી હોય છે.

૧)  ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માં પ્રત્યેક દરવાજા પાસે ૧૦ હોર્સ પાવર્સની ઇલેક્ટ્રિક મોટર ગોઠવેલી હોય છે.જેનુ સંચાલન કંટ્રોલ કેબીનથી થાય છે.


૨) કદાચ અચાનક લાઈટ નો કોઈ ફોલ્ટ થાય તો

૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી ડીઝલ જનરેટો

લગાવેલા હોય છે.


૩) લાઈટ ના હોય, અને જનરેટર પણ એકાએક બંધ થઈ ગયાં હોય અને દરવાજા ખોલવાના ની

નોબત આવી પડે તો ત્રીજા વિકલ્પ રૂપે  પ્રત્યેક દરવાજે ૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી  ડીઝલ એન્જિન લગાવેલા હોય છે.  જે હાથવડે હેન્ડલ મારીને ચાલું કરવામાં આવે છે.


૩) જ્યારે ત્રણેય વિકલ્પ માં કોઈ સફળતા ના મળે ત્યારે ચોથો વિકલ્પ માત્ર આશ્વાસન રૂપે જ  હોય છે.  કારણકે જ્યારે કુદરત રૂઠે છે ત્યારે બધાજ પ્રયત્ન નિષ્ફળ જાય છે. 


ચોથા વિકલ્પ માં આ મુજબ પોલાદી દરવાજા ખોલવા માટે હાથ વડે હેન્ડલ મારીને દરવાજાને

ઉપર ખેંચવા પ્રયત્ન કરવામાં આવે છે.પરતુ સતત

એક કલાક સુધી હાથવડે હેન્ડલ મારવામાં આવે ત્યારે માત્ર એક ફુટ દરવાજો ખુલે છે. 


આમ એક બાજુ ઈજનોરોની ટૂકડી ડેમના બંધ દરવાજા ખોલવામાં વ્યસ્ત હતી તો બીજી તરફ  રાજસ્થાનનના માઉન્ટ આબુ અને  આજુબાજુના

વિસ્તારમાં  ચૌદ ચૌદ ઈંચ જેટલો ભયાનક વરસાદ 

ત્રાટકી રહ્યો હતો. પાણીની સપાટી હવે ભયજનક રીતે તેનું લેવલ વટાવી રહી હતી.  જોતજોતામાં પાણી ડેમના દરજાની ટોચ પર આવી ગયું.પાણીની આવક સતત અને ઝડપથી વધી રહી હતી. બધાં ના શ્વાસ અધ્ધર હતા. હવે  બચવા માટે કુદરત સિવાય કોઈ વિકલ્પ ના હતો.  ઉપર કાળાં ડીબાંગ વાદળોનો અંધકાર અને નીચે ચારેબાજુ પાણી જ પાણી હતું. 

આ બાજું ફરી સાયર વાગી.

લોકો માં અફવા ફેલાઈ કે ડેમ તુટી રહ્યો છે. ભાગો ભાગો. લોકો તેમનો જીવ બચાવવા પશુઓને ખીલે

રેઢાં મુકીને ગામ છોડીને સ્થળાંતર કરી રહ્યા હતા.

સાથે જેટલી લૈઈ શકાય તેટલી ઘરવખરીનાં પોટકા બાંધીને બાળકોને સાથે ગામ છોડી રહ્યાં હતાં. 

નાંદોત્રા બ્રા વાસ, નાંદોત્રા ઠા.વાસ, શિકરીયા, લટીયા, વાછડા, રાણપુર, ભડથ, અને તેની આજુબાજુના લોકો ભયનાં માર્યાં સલામત સ્થળે

આશરો લેવા નીકળી પડ્યા. 

આજનો દિવસ જાણે ગોઝારો ઉગ્યો હતો. ના ભુલી શકાય એવી અને હદયને હચમચાવી મૂકે એવી કરુણ  ઘટના હતી. હજારો લોકોની માનવ મેદની માથે ઘરવખરીનો સામાન અને  ,કેડમાં ધાવતા નાનાં બાળકો સાથે ઘરબાર છોડી રહ્યાં હતાં. કોઈ સગર્ભા બહેનો તો કોઈ ઘરડાં વ્રુધ્ધ માતાઓ લાકડીના સહારે તો કોઈ નાનાં બાળકોને આંગળી એ વળગાડીને ઝડપથી  ચાલતાં હતાં. 

આંગળીએ વળગાડેલા  નાનાં નાનાં બાળકોનો કાફલો જોઈને ભલભલાના કાળજાં ચિરાઈ જાય એવા એ કરૂણ દ્રશ્યો હતાં. લોકો આજે ઉતાવળે

ડગ ભરતા હતા.ચારેબાજુ  બધેજ કોલાહલ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. 

     સમય હતો ૩૧ સપ્ટેમ્બર બપોરનો.  કુશળ ઈજનોરેની મહામહેનતે આખરે ડેમના એક પછી એક દરવાજા ખોલવામાં આવ્યા. કાનના પડદા ફાટી જાય તેવો વિકરાળ અવાજ આવતો હતો.  પાણીનો પ્રવાહ ધોધમાર વહેતો હતો. પરંતુ વિધિનું નિર્માણ કાંઈક જુદું લખાયેલું હતું. ઉપરવાસમાં વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો.આજે જાણે બારેમેઘ ખાંગા થયા હોય અને ઉપર આભ ફાટ્યું હોય તેમ સાબેલાની ધારે વરસાદ વરસી રહ્યો હતો

ડેમના દરવાજામાંથી પાણી પુર ઝડપે બહાર નીકળી રહ્યું હોવા છતાં પાણીની સપાટી નીચી આવતી ન હતી. કારણ માત્ર એટલું જ કે ડેમના દરવાજા માંથી પ્રાણીની જે નીકાસ થતી હતી એના કરતાં પાણીની આવકનું પ્રમાણ ખુબ વધું હતું. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૪ ફુટની ઉંચાઈએ આંબી ગઈ ત્યારે કહેવાય છે કે  ડેમનુ પાણી ઇકબાલગઢ ના ગોદરે આવીને ઊભાં હતાં.


કહેવાય છે કે,  કુદરત જ્યારે હાથ અધ્ધર કરી દે છે એટલે કોઈપણ મનુષ્ય નું પ્રારંબ્ધ કામ આવતું નથી, પછી ભલેને એ સત્પુરુષ કેમ ના હોય. સુકાની સાથે લીલાં ને પણ આખરે બળવું પડે છે.

ત્યાંતો કુદરતે એનો ખેલ પાર પાડ્યો. 

રામનગરથીઆગળ પાણીની સપાટી વધતાં વધતાં રણાવાસ ગામની ચારેબાજુ ડેમનાં પાણીએ ભરડો લીધો ને તેનું પ્રેસર ડેમની કાચી માટીના પાળા ઉપર આવ્યું. આ માટીના પાળામા એક નાનું છીદ્ર પડ્યું

જે જોતજોતામાં મોટુ ગાબડું બન્યું.. અને બરાબર રાત્રી ના નવ વાગ્યા હશે, અને ચેતવણીની પહેલી શાયરન વાગી. * દાંતીવાડા ડેમ તુટ્યો* 

પણ ત્યાં સુધી તો મોટા ભાગના લોકોને જેતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એ સમયે વાહન વ્યવહાર ઓછો હતો. લોકો મોટે ભાગે પાળા ચાલતા હતા. વળી સંદેશા વ્યવહારના ખુબ

ઓછાં સાધનો હતાં. કોઈ ભાગ્યશાળી ને ઘેર

રેડીયો હતો. આકાશવાણી અમદાવાદ ઉપરથી

સતત દાંતીવાડા ડેમ ના સમાચાર પ્રસારિત થતા હતા. વળી ઘણા લોકો આરામથી નીદ્રા લેતા હતાં.

ગોઢ ગામ ઊચાઈ ઉપર આવેલ ગામ હતું એટલે લોકો ભયમુક્ત હતા. છતાપણ કેટલાંય કુટુંબોએ

ગામ છોડીને પોતપોતાના સગાં ને ત્યાં ગયા હતા તો કોઈ ઘર અને ઢોરઢાંખર સાચવવા ઘેરજ રહ્યાં હતાં. રાત્રિના ના બરાબર બાર વાગ્યા હતા. 


 ડેમના અધિકારી ઓનો ગાબડાની જાણ થૈઈ પણ

કુદરતના  પંચતત્વો આગળ મનુષ્ય હારતો આવ્યો છે.  આખરે બન્યું પણ એવું. જોતજોતામાં ગાબડું ત્રણસો   ફુટથી  વધી ને એક  હજાર  ફુટનું  પહોળું ગાબડું  પ્રલય વમાટે પુરતું હતું.   ડેમનાં  ધસમસતાં પાણીનાં પુરે અધિકારીઓની કોરી આંખોને આજે ભીજવી દિધી.   ઘણી વખત માણસ પાસે ઘણું બધું હોવા છતાં કુદરતની આગળ લાચાર અને નિઃસહાય નજરે જોઈ રહે છે. 


તા ૧ સપ્ટેમ્બર ને ગુરૂવારની વહેલી પરોઢે કુદરતે એની લીલા પ્રુથ્વી વાસીઓને બતાવી દીધી.. ચારેબાજુ તારાજી બસ તારાજી.દાતીવાડા  ડેમનાં ધસમસતાં પાણીના પ્રવાહને કારણે જાણે બનાસે

એનો મારગ બદલ્યો હોય તેમ ઊડી ખીણોની જેમ

મોટા વિશાળ વાઘા કોતરો પડી ગઈ. હજારો નહીં પણ લાખો ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ અને ગધેડા જેવાં મુંગા અને નિર્દોષ પશુઓ ડેમના પુરના પાણીમાં તણાયા.કોઈ પાણીના પ્રવાહમાં ગુંગળાઈ ને મરણ પામ્યા તો કોઈ બાવળોની ઝાડીમાં ભરાઈ પડ્યાં. કાનના પરદા ફાડી નાખે તેવી  ચીસાચીસ અને રો કકળ થેઈ. ઘડીક ના છઠ્ઠા ભાગમાં આ બધો ખેલ પડી ગયો અને શાન્ત પણ  થૈઈ ગયું. કહેવાય છે કે જ્યારે ક્રોધ અને વાવાઝોડું, શાન્ત પડે છે ત્યારે ખબર પડે છે કે કોને કેટલું નુકશાન થયું. 

બનાસ નદી છેલ્લે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.  બનાસકાંઠાના કાકરેજ, સમી, રાધનપુર, અને વારાહી તાલુકાના દુરના ગામડાઓને આ પુરના પાણી એ  ઘણું નુકશાન કર્યું. એ લોકોને ખબર પણ ન હતી કે, દાંતીવાડા ડેમ માં ગાબડું પડ્યું છે એટલે ડેમ તુટ્યો છે એની એમને ખબર નહતી એટલે એ લોકો મીઠી નીંદર માણતા હતા ત્યારે ઓચિંતા બનાસના પુર ફરી વળ્યાં ત્યારે એકાએક રોકકળ અને કુકવા થયા હતા.એક બીન સત્તાવાર અહેવાલ મુજબ આ પુરમાં હજારો સ્ત્રી પુરુષ અને બાળકો નો ભોગ લેવાયો હતો અને મુંગા પશુઓ તણાયા હતા.


આ હતી દાંતીવાડા ડેમ તુટ્યા ની કરૂણ ઘટના. ઈતિહાસ મા આજનો દિવસ દાંતીવાડા ની પ્રજા માટે ગોજારો દિવસ કહેવાય છે. 

🙏🙏🙏🙏🙏

Monday, August 7, 2023

પેરાસીટામોલ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે

 

  • પેરાસીટામોલ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે
  • કેન્સર અને કિડનની દવા સાથે ક્યારેય ન લેવી જોઈએ
  • આલ્કોહોલ પીતા વ્યક્તિએ પેરાસીટામોલ ન ખાવી જોઈએ
આ આધુનિક યુગમાં તમામ લોકો એડવાન્સ થઈ ગયા છે.જેમાં કેટલીક વખત પોતાની જ હોશિયારી પોતાને ભારે પડતી હોય છે. તમે ખ્યાલ જ હશે કે જ્યારે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય અથવા તો સામાન્ય બિમારી થાય તો પોતે જ ડોક્ટર બનીને પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે.

પરંતુ આ કેટલીક વખત ખતરનાક સાબિત થઈ શકે છે. શરદી, ઉધરસ અને તાવમાં આપણે વિચાર્યા વગર તરત જ પેરાસીટામોલ ખરીદીને ખાઈએ છીએ. ઘણી વખત આપણે વિવિધ પ્રકારની દવાઓ લેતા હોઈએ છીએ અને તેની સાથે પેરાસીટામોલ પણ લઈએ છીએ. પણ શું આ કરવું યોગ્ય છે ? કેટલીક દવાઓ એવી છે જેની સાથે પેરાસિટામોલ ભૂલથી પણ ન લેવી જોઈએ. કારણ કે જો તમે તે દવાઓ સાથે પેરાસિટામોલ લો છો તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. આ ખૂબ જ ખતરનાક બની શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ દવાઓ સાથે તમે પેરાસીટામોલ ન લેવી જોઈએ

પેરાસીટામોલ શેની સાથે ન લેવી જોઈએ?

બધી દવાઓની પોતાની રચના હોય છે. એટલે કે જો તમે બે પ્રકારની રચના દવાઓ એકસાથે લો છો તો તે શરીરમાં ઘણી પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. તેથી જો તમે Paracetamol લઈ રહ્યા છો. તો તેની સાથે આ દવાઓ લેવાની ભૂલ ન કરતા. તેમાંથી બુસલ્ફાન (busulfan) છે જે કેન્સરની સારવાર કરે છે. કાર્બામાઝેપિન (carbamazepine) નો ઉપયોગ એપીલેપ્સીની સારવાર માટે થાય છે. કોલેસ્ટેરામાઇન (colestyramine) નો ઉપયોગ પ્રાથમિક પિત્તરસ સંબંધી સિરોસિસની સારવાર માટે થાય છે. ત્યાં ડોમ્પરીડોન (domperidone) છે જે ઉલટીમાં રાહત આપે છે. મેટોક્લોપ્રામાઇડ (metoclopramide) છે જે અપચો સહિત આવી ઘણી બિમારીઓની સારવાર કરે છે. આની સાથે બીજી ઘણી દવાઓ પણ છે. એટલા માટે જ્યારે પણ તમે બે દવાઓ ખાઓ ત્યારે તમારા ડૉક્ટરની સલાહ લો.


આ લોકોએ પેરાસીટામોલ પણ ન ખાવી જોઈએ

તમે જાણી ગયા છો કે પેરાસીટામોલ કઈ દવાઓ સાથે ન લેવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કયા લોકોએ પેરાસીટામોલ ન ખાવી જોઈએ? તમને જણાવી દઈએ કે પેરાસીટામોલનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. ખાસ કરીને એવા લોકો માટે કે જેમને લીવર અથવા કિડની સંબંધિત બીમારીઓ છે. આ સાથે જો તમે આલ્કોહોલ પીતા હોવ તો પણ તમારે પેરાસીટામોલનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક અથવા ડૉક્ટરની સલાહ પર કરવો જોઈએ. 2 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ડૉક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન આપવી જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે 24 કલાકની અંદર પેરાસીટામોલના 4 થી વધુ ડોઝ ક્યારેય ન લેવા જોઈએ. કારણ કે તે તમારા માટે ખતરનાક બની શકે છે.



Wednesday, July 19, 2023

પર્સનલ લોનના ચક્કરમાં ફસાઈ ગયા છો? કરજના દલદલમાંથી બહાર નીકળવા RBI નો નવો નિયમ કરશે મદદ Personal Loan Tips: RBI દ્વારા હાલમાં જ સર્ક્યુલર જાહેર કરીને બેંકોને કહ્યું છે કે તેઓ વિલફુલ ડિફોલ્ટર સાથે સેટલમેન્ટ કરે અને 12 મહિના બાદ તે વ્યક્તિને જરુરિયાત હોય તો ફરીથી લોન પણ આપે. ગ્રાહકો થોડી આર્થિક સૂઝબૂઝ વાપરીને લોનના દલદલમાંથી હંમેશા માટે નીકળી શકે છે. પર્સનલ લોનના દલદલમાં ફસાઈ ગયા છો? RBI દેવદૂત બન્યું છે તમે પણ ફાયદો લઈ લો 1 લોનના ભાર હેઠળ દબાઈ ગયા છો? લોનના ભાર હેઠળ દબાઈ ગયા છો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક સર્ક્યુલર જાહેર કરીને બેંકોને વિલફુલ ડિફોલ્ટર સાથે લોનની પતાવટ કરવા અને જરૂર પડ્યે 12 મહિના બાદ તે વ્યક્તિને ફરીથી લોન આપવા જણાવ્યું છે. જો કે આરબીઆઇના આ નિર્ણયનો વિરોધ થયો હતો, જેના પર આરબીઆઇએ કહ્યું કે સમાધાન કોઇ નવી પ્રક્રિયા નથી. જો કે આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને મોટી રાહત મળશે, જે સેટલમેન્ટ બાદ ફરીથી લોન મેળવવા માટે બેંકોમાં ભટકતા હતા અને લોન મેળવી શક્યા ન હતા. જો તમે કોઇ કારણસર પર્સનલ લોનની રકમ ચૂકવી ન શકો તો ચિંતા ન કરશો. એવી ઘણી રીતો છે, જેમાં તમે લોનની જાળમાંથી બહાર નીકળી શકો છો. 2 બે પ્રકારના હોય છે લોન બે પ્રકારના હોય છે લોન સિક્યોર્ડ- આ લોનમાં બેંક અથવા નાણાંકીય સંસ્થા લોનના બદલામાં મિલકત અથવા સંપત્તિના કાગળો ગીરવે મૂકે છે. લોન લેનાર લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય અથવા કોઈ કારણસર લોન લેનારનું મૃત્યુ થઈ જાય, તો બેન્ક ગીરવે મૂકેલી મિલકત વેચીને તેના નાણાં મેળવી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 6.5 ટકાથી 10 ટકા સુધી હોઈ શકે છે. આવી લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન વગેરેનો સમાવેશ થાય છે. 3 આ મુશ્કેલી સર્જી શકે આ મુશ્કેલી સર્જી શકે અનસિક્યોર્ડ- આ પ્રકારમાં લોન લેનાર વ્યક્તિના ક્રેડિટ સ્કોર, પગાર અથવા બેંક સાથેના સંબંધના આધારે બેંક અથવા ફાઇનાન્સિયલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. લોન ન ચૂકવવાના કિસ્સામાં અથવા લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક ગેરેન્ટર પાસેથી લોનની રકમ વસૂલ કરી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 10%થી 20% અથવા તેનાથી વધુ હોઈ શકે છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન વગેરે અનસિક્યોર્ડ લોન છે. 4 સાઇન નહીં તો ગેરેન્ટર નહીં સાઇન નહીં તો ગેરેન્ટર નહીં જો તમે લોન ન લીધી હોય, પરંતુ કોઈ બેંક કે નાણાકીય સંસ્થાનો એજન્ટ તમને ફોન કરીને કહે છે કે તમારા કોઈ મિત્ર કે પરિચિતે લોન લીધી છે અને તમે તેમાં ગેરેન્ટર છો. તમારો મિત્ર લોન ભરપાઈ કરી રહ્યો નથી અને હવે તમારે લોન ભરપાઈ કરવી પડશે. આવી સ્થિતિમાં એજન્ટને પૂછો કે શું ગેરંટી પેપર પર મારી સહી છે? જો તમારી સહી ન હોય તો તમે તે લોનમાં ગેરેન્ટર નથી અને તેથી તમારે કોઇ લોન ચૂકવવાની રહેતી નથી. 5 CIBIL સ્કોર CIBIL સ્કોર તે ત્રણ અંકની સંખ્યા છે, જે 300થી 900ની વચ્ચે હોય છે. આ સંખ્યા જેટલી વધારે હશે તેટલી ક્રેડિટ સ્કોર સારો રહેશે અને લોન મળવાની શક્યતા પણ એટલી જ વધી જશે. સાથે જ બેંક તરફથી કોઈપણ પ્રકારના લોન ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સાથે જોડાયેલા રેકોર્ડના રિપોર્ટને ક્રેડિટ રિપોર્ટ કહેવામાં આવે છે. 500થી ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને બેન્કો લોન આપતી નથી. 6 આ રીતે ચેક કરો સિબિલ સ્કોર આ રીતે ચેક કરો સિબિલ સ્કોર તમે સિબિલ cibil.com વેબસાઇટ પર સિબિલ સ્કોર ચકાસી શકો છો. આ સિવાય તમે ઇક્વિફેક્સ, ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપીરિયન અને સીઆરઆઇએફ હાઇમાર્ક, પેટીએમ, બજાજ ફિનસર્વ, બેંક બજાર, પૈસા બજાર વગેરે જેવા પ્લેટફોર્મ પર પણ સિબિલ સ્કોર ચકાસી શકો છો. 7 બેંક સાથે કરો વાત બેંક સાથે કરો વાત જો તમે કોઇ કારણસર લોન ચૂકવવાની સ્થિતિમાં નથી તો તમે તમારી બેંક સાથે વાતચીત કરી શકો છો. જોકે, બેંકો પોતાના નિયમો પર કામ કરે છે. 8 સમય માંગો સમય માંગો લોન ઈએમઆઈ ન ભરવાના કિસ્સામાં બેન્કને ઈ-મેઈલ કરો અથવા શક્ય હોય તો જે બ્રાન્ચમાંથી લોન લીધી હોય ત્યાં જઈને લોન વિભાગના અધિકારીને મળો. બેંક સાથે તમારી સ્થિતિ વિશે વાત કરીને તમે થોડા સમય માટે ઈએમઆઈથી રાહત મેળવી શકો છો. તમારી પરિસ્થિતિના આધારે બેંક નક્કી કરે છે કે તે તમને સમય આપવો કે નહીં. 9 લોન રીસ્ટ્રક્ચર કરાવો લોન રીસ્ટ્રક્ચર કરાવો જો તમારી પાસે ઈએમઆઈ ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. તો પછી તમે બેંક સાથે વાત કરીને લોનને રીસ્ટ્રક્ચર પણ કરી શકો છો. આમાં લોનની ઈએમઆઈ ઘટે છે પરંતુ લોનની ચુકવણીનો સમયગાળો વધી જાય છે. 10 બેલેન્સ ટ્રાન્સફર કરાવો બેલેન્સ ટ્રાન્સફર કરાવો ઘણી બેંકો લોનની રકમમાં બેલેન્સ ટ્રાન્સફર (BT)ની સુવિધા પણ આપે છે. આવી સ્થિતિમાં બેંકો લોનના રૂપમાં વધુ પૈસા આપે છે. તેનાથી જૂની લોન ખતમ થઈ જાય છે અને નવી લોન શરૂ થાય છે. ઉપરાંત લોન લેનાર વ્યક્તિને વધુ પૈસા મળે છે, જેનો ઉપયોગ તે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરી શકે છે. એવી પણ ઘણી બેંકો છે જે જૂની બેંક કરતા ઓછા વ્યાજ દરે લોન આપે છે. 11 લોન સેટલમેન્ટ કરાવો લોન સેટલમેન્ટ કરાવો જો કોઈ વ્યક્તિ બેંક તરફથી વારંવાર કોલ કર્યા પછી પણ ઈએમઆઈ નથી ચૂકવી રહી તો બેંક સમાધાન માટે કહી શકે છે. તેને વન ટાઇમ સેટલમેન્ટ (OTS) કહે છે. આમાં બેંકો લોનની બાકીની રકમ લેતી નથી, પરંતુ માત્ર 10થી 50 ટકા રકમ લે છે અને બાકીની રકમ માફ કરે છે. મોટાભાગની બેંકો સેટલમેન્ટ ટેક્સની રકમ ભરવા માટે 1 સપ્તાહનો સમય આપે છે. ઓટીએસ દરમિયાન ધ્યાનમાં રાખો આ બાબતો- - લોન સેટલમેન્ટ માટે યોગ્ય કારણ દર્શાવો. - લોન સેટલમેન્ટ દરમિયાન બેંક નક્કી કરે છે તે રકમમાં ઘટાડો કરવા માટે લોન લેનાર પૂછી શકે છે. - લોન સેટલમેન્ટ દરમિયાન બેંકને કરાર અથવા એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવા માટે કહો, જે અનુસાર સેટલમેન્ટ પછી લોન બંધ થઈ જશે અને જો કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, તો તેને સમાપ્ત કરવામાં આવશે. 12 લોન સેટલમેન્ટના નુક્શાન લોન સેટલમેન્ટના નુક્શાન - લોન સેટલમેન્ટ બાદ ક્રેડિટ સ્કોરમાં 50થી 100 પોઇન્ટનો ઘટાડો થાય છે. - સિબિલ રીપોર્ટ અનુસાર, સેટલમેન્ટ કરનારના 12 મહિના સુધી કોઇ લોન મળી શકતી નથી. ત્યાર બાદ મળી શકે છે. - તમારી આર્થિક સ્થિતિ સુધરતા તમે લોનની રકમ ચૂકવાની તમારા સેટલ્ડ એકાઉન્ટને ક્લોઝ્ડ એકાઉન્ટમાં પરીવર્તિત કરવાનો પ્રયાસ કરો. 13 લોન ચૂકવવા માટે અપનાવો આ રીત- લોન ચૂકવવા માટે અપનાવો આ રીત- - એવી જૂની વસ્તુઓ કે જે તમે લાંબા સમયથી ઉપયોગમાં નથી લેતા તો તેને OLX, Quikr પર વેચીને થોડા પૈસા મેળવી શકો છો. - જો તમારી પાસે કોઇ એફડી, મ્યૂચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી, ગોલ્ડ, શેર માર્કેટ વગેરે જેવી સેવિંગ્સને વેચીને અથવા તો ઉધાર રાખીને આર્થિક મદદ લઇ શકો છો. - જો તમારો કોઇ નજીકનો ખાસ મિત્ર અથવા સંબંધી હોય જે આર્થિક રીતે સક્ષમ હોય તો તમે તેની પાસેથી થોડા સમય માટે પૈસા ઉધાર લઇને લોનની ચૂકવણી કરી શકો છો. - જો તમારા પગારમાં 8થી 10 ટકાનો વધારો થયો હોય તો ઇએમઆઇની રકમની ચૂકવણીમાં 5 ટકાનો વધારો કરી દો. તેનાથી તમે 5 વર્ષમાં ચૂકવાતી લોન 3 વર્ષમાં ચૂકવી શકો છો. - તમારી તમામ લોનની લિસ્ટ બનાવો અને તે તમામમાં ચૂકવવાની બાકી રકમની સરખામણી કરો. હવે જેમાં વ્યાજદર વધારે હોય તે લોનની ચૂકવણી સૌથી પહેલા કરો. 14 તમે કઇ રીતે ફસાવ છો લોનની જાળમાં તમે કઇ રીતે ફસાવ છો લોનની જાળમાં લોનમાં ફસાવાના ઘણા કારણો હોઇ શકે છે. તમારા ખર્ચાઓ આવક કરતા વધારે હોવા, અડધાથી વધારે આવક ઇએમઆઇની ચૂકવણીમાં જવી, ઇએમઆઇ અથવા બિલ સમયસર જમા ન કરવા, લોન ચૂકવવા માટે લોન લેવી, શોખ પૂરા કરવા માટે લોન લેવી, દેખાડાના જીવન પાછળ વધારે પડતા ખર્ચાઓ કરવા વગેરે કારણોસર લોન લેવી તમને આર્થિક રીતે ભારે પડી શકે છે. 15 લોનથી બચવાના ઉપાયોઃ લોનથી બચવાના ઉપાયોઃ જો તમે લોન લેવાથી બચવા માંગતા હોય તો તમારે અન્ય વિકલ્પો વિશે વિચારવું જોઇએ. બાય નાઉ પે લેટર જેવી લોભામણી જાહેરાતોથી દૂર રહો. જો તમારે કોઇ આર્થિક નુકસાન અથવા સંકટ હોય તો તમે તમારા પરીવાર કે મિત્રો સાથે વાતચીત કરીને ઉકેલ લાવી શકો છો.

माइकल_जैक्सन 150 #साल जीना चाहता था! किसी सेे हाथ मिलाने से पहले दस्ताने पहनता था! लोगों के बीच में जाने से पहले मुंह पर मास्क लगाता था ! अपनी देखरेख करने के लिए उसने अपने घर पर 12 #डॉक्टर्स नियुक्त किए हुए थे ! जो उसके सर के बाल से लेकर पांव के नाखून तक की #जांच प्रतिदिन किया करते थे! उसका #खाना लैबोरेट्री में #चेक होने के बाद उसे खिलाया जाता था! स्वयं को व्यायाम करवाने के लिए उसने 15 लोगों को रखा हुआ था! माइकल जैकसन अश्वेत था, उसने 1987 में प्लास्टिक #सर्जरी करवाकर अपनी त्वचा को गोरा बनवा लिया था! अपने काले मां-बाप और काले दोस्तों को भी छोड़ दिया। गोरा होने के बाद उसने गोरे मां-बाप को #किराए पर लिया! और अपने दोस्त भी गोरे बनाए शादी भी गोरी औरतों के साथ की! नवम्बर 15 को माइकल ने अपनी नर्स डेबी रो से विवाह किया, जिसने प्रिंस माइकल जैक्सन जूनियर (1997) तथा पेरिस माइकल केथरीन (3 अपैल 1998) को जन्म दिया। वो डेढ़ सौ साल तक जीने के लक्ष्य को लेकर चल रहा था! हमेशा #ऑक्सीजन वाले बेड पर सोता था उसने अपने लिए अंगदान करने वाले #डोनर भी तैयार कर रखे थे! जिन्हें वह खर्चा देता था, ताकि समय आने पर उसे किडनी, फेफड़े, आंखें या किसी भी शरीर के अन्य अंग की जरूरत पड़ने पर वह आकर दे दें, उसको लगता था वह पैसे और अपने रसूख की बदौलत मौत को भी #चकमा दे सकता है, लेकिन वह गलत साबित हुआ। 25 जून 2009 को उसके दिल की #धड़कन रुकने लगी, उसके घर पर 12 डॉक्टर की मौजूदगी में हालत काबू में नहीं आए, सारे शहर के डाक्टर उसके घर पर जमा हो गए, वह भी उसे नहीं #बचा पाए। उसने 25 साल तक डॉक्टर की सलाह के विपरीत, कुछ नहीं खाया! अंत समय में उसकी हालत बहुत खराब हो गई थी , 50 साल तक आते-आते वह पतन के करीब ही पहुंच गया था और 25 जून 2009 को वह इस दुनिया से #चला गया ! जिसने अपने लिए डेढ़ सौ साल जीने का इंतजाम कर रखा था! उसका इंतजाम धरा का धरा रह गया! जब उसकी बॉडी का #पोस्टमार्टम हुआ तो डॉक्टर ने बताया कि, उसका शरीर हड्डियों का ढांचा बन चुका था! उसका सिर गंजा था, उसकी पसलियां कंधे हड्डियां टूट चुके थे, उसके शरीर पर अनगिनत सुई के निशान थे, प्लास्टिक सर्जरी के कारण होने वाले दर्द से छुटकारा पाने के लिए एंटीबायोटिक वाले दर्जनों इंजेक्शन उसे दिन में लेने पड़ते थे! माइकल जैक्सन की अंतिम यात्रा को 2.5 #अरब लोगो ने #लाइव_देखा था। यह अब तक की सबसे ज़्यादा देखे जाने वाली लाइव ब्रॉडकास्ट हैं। माइकल जैक्सन की #मृत्यु के दिन यानी 25 जून 2009 को 3:15 PM पर, Wikipedia,Twitter और AOL’s instant messenger यह सभी #क्रैश हो गए थे। उसकी मौत की खबर का पता चलते ही गूगल पर 8 लाख लोगों ने माइकल जैकसन को सर्च किया! ज्यादा सर्च होने के कारण #गूगल पर सबसे बड़ा ट्रैफिक जाम हुआ था! और गूगल क्रैश हो गया, ढाई घंटे तक गूगल काम नहीं कर पाया! मौत को चकमा देने की सोचने वाले हमेशा मौत से चकमा खा ही जाते हैं! सार यही है, बनावटी दुनिया के बनावटी लोग कुदरती मौत की बजाय बनावटी मौत ही मरते हैं! "क्यों करते हो #गुरुर अपने चार दिन के #ठाठ पर , मुठ्ठी भी खाली रहेंगी जब पहुँचोगे #घाट पर"... धनवान होना गलत नहीं है ,। बल्कि....... "सिर्फ धनवान होना गलत है" आइए ज़िंदगी को पकड़ें, इससे पहले कि, जिंदगी हमको पकड़ ले❗️ खुल कर जियो दोस्तों, मौत तो अटल सत्य है, उस को तो आना ही है 🙏🙏🌹

Wednesday, July 12, 2023

*"ખેતીવાડી" ભવિષ્યનો "સર્વોતમ ધંધો"* હશે. ( ધ્યાન થી પૂરેપૂરો વાંચજો, અધવચ્ચે છોડી ન દેવા વિનંતી ) *"ખેતી"* એક *"સંપુર્ણ"* અને *"સ્વનિર્ભર" વ્યવસાય* છે. જગત આખાની *પેટની ભુખ ઠારવાનું "કૌવત"* એક માત્ર *"ખેડુતના બાવડામાં"* જ હોય છે. *કુદકેને ભુસકે વધતી વસ્તીને* કારણે, દુનિયાની કોઈપણ *સત્તા* કે *મહાસત્તા કેમ ન હોય?* આવનારા નજીકના સમયમાં *"ખેતી"ને સૌથી વધારે "મોભાદાર અને રોજગારી"* આપતો *વ્યવસાય* બનતા કોઈ નહિ રોકી શકે. *કરોડો રુપિયાના રોકાણ પછી પણ ધંધા બદલવા પડે છે અથવા બંધ થઈ જાય છે.* આજે કે ભવિષ્યમાં એક પણ ધંધા-નોકરીની સલામતીની કોઈ ગેરંટી નથી. એની સામે *સૌથી સુરક્ષીત વ્યવસાય "ખેતી"* હશે! *મિત્રો! તમે જ જોઈ લ્યો :-* આજથી ૧૫ - ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નહોતી જ્યાં *P.C.O "ના"* હોય પછી ધીમે ધીમે બધાના ઘરમાં લેન્ડલાઈનની સુવિધા થવા માંડી ધીમે ધીમે P.C.O ઓછા થવા લાગ્યા,અને પછી *વિશ્વમાં જન્મ લીધો "મોબાઈલે"* લગભગ *બધા P.C.O બંધ* હવે એ P.C.O વાળાએ મોબાઈલના રિચાર્જ અને બિલ ભરવાના ચાલુ કરી દીધા અને હવે તો *રિચાર્જ* અને *બિલ* પણ *ઓનલાઈન* થઇ ગયા છે. તમે ક્યારેય એ તરફ ધ્યાન આપ્યું? આજે બજારમાં દરેક ચોથી-પાંચમી દુકાન મોબાઈલની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલને લગતી કોઈ પણ હલ કરવી હોય, આજે લગભગ બધું *"Paytm" UPI* થી થઇ ગયુ છે. હવે તો લોકો રેલવે, બસની ટિકિટ પણ મોબાઈલથી કરાવવા લાગ્યા છે, હવે રૂપિયા -પૈસાનું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે. *"રોકડ રૂપિયા"ની* જગ્યા પહેલા *"પ્લાસ્ટિક મની"* એ લીધી અને હવે તો *"ડિજિટલ લેવડદેવડ"* થઈ રહ્યુ છે. *દુનિયા ખુબ ઝડપથી બદલાઈ* રહી છે. *આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર "તમે પાછળ" રહી જાશો.* ૧૯૯૮માં *"કોડાક"* કંપનીમાં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયાના ૮૫% ફોટો પેપર વેંચતા હતા થોડા જ વર્ષોમાં *"ડિજિટલ ફોટોગ્રાફી"* એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા. *"કોડાક"* દેવાળિયું થઈ ગયું તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પર આવી ગયા, તેવી જ રીતે *"નોકિયા"* મોબાઈલ કંપની. મુદ્દાની વાત એ છે કે. *તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષોમાં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે.* આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઈ જશે. *"ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં* *તમારું સ્વાગત છે."* *"ઉબેર"* ફક્ત એક *સોફ્ટવેર* છે. તેમની પોતાની *એકપણ કાર નથી* તેમ છત્તા તે *દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની* છે. *Airbnb* દુનિયાની *સૌથી મોટી હોટેલ કંપની* છે , જયારે તેમની પોતાની પાસે તો *પોતાની એકપણ હોટેલ* નથી. અમેરિકામાં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું, કારણકે *IBM Watson* નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી *Legal Advise* આપી દે છે. *આવનારા ૫ થી ૭ વર્ષમાં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે* અને જે બાકી બચ્યા હશે તે *ઉત્તમ* પ્રકારના *જે તે બાબતના નિષ્ણાંત* હશે. *Watson* નામક આ *સોફ્ટવેરે કેન્સરનું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ* કરતા *૪ ગણી* વધુ *ચોક્કસાઈ* એ કરે છે. *અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધીમાં "કમ્પ્યુટર મનુષ્ય" કરતા વધારે "હોશિયાર" થઈ ગયું હશે.* આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો, જે વધશે તે કાં તો *Electric Car* હશે અથવાતો *હાયબ્રીડ.* રસ્તાઓ ખાલી જોવા મળશે. પેટ્રોલની નહિવત જરૂર પડશે, આરબ દેશો કે જેમણે *ભવિષ્યનું આયોજન નહિ કર્યું હોય તે મુશ્કેલીમાં મુકાવા લાગશે. આર્થિક તાણ અનુભવવા* લાગશે. તમે પોતે *Uber* જેવા એક *સોફ્ટવેરેથી કાર* મંગાવશો અને પલભરમાં એક ડ્રાઈવર વગરની કાર તમારી આસપાસ આવી જશે અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઈક કરતા પણ સસ્તી પડશે. *Driverless કાર* હોવાના કારણે એકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે, એટલે વીમા કંપની પણ ઘર ભેગી..! *ડ્રાઈવર* નામનો *રોજગાર "લુપ્ત જ"* થઇ જશે. જયારે શહેરો અને રસ્તાઓ પરથી *૯૦% ગાડીઓ ગાયબ* થઈ જશે તો *ટ્રાફિક અને પાર્કિંગ* નામની કંટાળાજનક સમસ્યાનો અંત આપોઆપ આવી જશે. આવુ તો બહુ બધું બદલાઈ રહ્યું છે, એ બદલાતા સમયમાં પણ *"મુળ ન બદલાય"* એવો *એક જ વ્યવસાય* હશે *"ખેતીવાડી"* *પ્રાકૃતિક ખેતી(indigenious framing)* ને *અનુસરતો ખેડુત* ક્યારેય *બેકાર ગરીબ* કે *લાચાર* નહિ રહે. *"પ્રાકૃતિક ખેતી",* આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની *"ઓશીયાળી"* નહિ રહે. *અનેક ધંધા બંધ થય ગયા અને ભુલાય સુદ્ધા ગયા છે પણ પાછલા ૫૦૦૦ વરસથી અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય અડીખમ ઉભો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી રહેશે.* ગમે એવા ભુખમરામાં પણ પોતાનું પેટ ભરવા માટે ખેડુત સ્વનિર્ભર તો રહેશે જ. *આવનારા સમયમાં "વ્યસ્થિત આયોજન"* કરશે તો *બજારનો માલીક "ખેડુત" પોતે જ* હશે. *આખરે "ખેતીવાડી"* એ *આપણી "સંસ્કૃતિ"* છે. 🙏🌹🙏 *ખેતી પ્રેમપૂર્વક અને નીતિથી કરવાથી ક્યારેય કોઈ ખેડૂત દુઃખી નહિ થાય*.....

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે! અને છતાંયે છે કંપાવી મૂકે તેવી! એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ નિખાલસતા માટે પ્રખ્યાત હતા. તેમની જવાબ આપ્યો, “તમારે જાણવું છે, હું શું બનાવું છું? (એમણે એકાદ શ્વાસ લેવા પૂરતા અટકી ને વાત આગળ ચલાવી) “બાળકોએ કલ્પના પણ કરી હોય તેના કરતાં વધુ મહેનત તેમની પાસે કરાવું છું તેમને મળેલા C+ ગ્રેડ નું મહત્વ તેમણે પરમ વીર ચક્ર કરતાં પણ વધુ લાગે, એવો અનુભવ કરાવું છું જે માં-બાપ તેમના પાંચ મિનિટ પણ શાંત બેસાડી શકતા નથી, તેમને પિસ્તાળીસ મિનિટના પિરિયડમાં સળંગ બેસારું છું અને તે પણ, આઈ-પોડ, ગેઇમ ક્યુબ, કે, ભાડે લાવેલી ફિલ્મની CD વગર! તમારે જાણવું છે હું શું બનાવું છું? (અહિંયા તેઓ ફરીવાર અટકયા અને ટેબલ પર બેઠેલા પ્રત્યેક વ્યક્તિ સામે નજર માંડી) “હું તેમણે આશ્ચર્ય ચકિત બનાવું છું! હું તેમને પ્રશ્નો પૂછતા કરી દઉં છું હું તેમને ખરા દીલથી માફી માંગતા શીખવાડું છું હું તેમને તેમની તમામ ક્રિયાઓ માટે આદર ધરાવતા અને જવાબદારી લેતા શીખવાડું છું હું તેમને લખતા શીખવાડું છું અને તેમની પાસે લખાવું છું અને સમજણ પાડું છું, કે, માત્ર કી-બોર્ડ જ સર્વસ્વ નથી હું તેમની પાસે વંચાવું છું અને વંચાવું છું અને વંચાવું છું હું તેમની પાસે ગણિત ની બધીજ ગણતરીઓ કરાવું છું, અને એ બધાજ બાળકો ઈશ્વરે આપેલા મગજ નો ઉપયોગ કરીને કરે છે, માનવી એ બનાવેલા કેલ્ક્યુલેટર નો નહીં બીજા દેશોમાંથી આવેલા સ્ટુડન્ટ્સ ને ઈંગ્લિશ વિષય બાબત માં જે પણ જાણવું જરૂરી હોય, તે સઘળું કેમ શીખી શકાય, તે શીખવાડું છું અને તે પણ પોતાની સંસ્કૃતિની મૌલિકતા જાળવી રાખીને હું મારા વર્ગખંડને એવી જગ્યામાં રૂપાંતરીત કરું છું જ્યાં મારા બધા સ્ટુડન્ટ્સ ને સલામતીનો અનુભવ થાય! અંતે હું તેમને સમજાવું છું, કે, જો તેઓ તેમને મળેલી તમામ સોગાતો નો ઉપયોગ કરે, સખત મહેનત કરે અને પોતાના હ્રદયના અવાજને અનુસરે, તો તેઓ પોતાની જિંદગીમાં અવશ્ય સફળ થઈ શકે! (શ્રીમતિ બોની અહીં છેલ્લી વખત અટકયા અને તેમને આગળ ચલાવ્યું) અને પછી જ્યારે લોકો ‘હું શું બનાવું છું’ ની મદદથી મારું માપ કાઢવાનો પ્રયત્ન કરે, ત્યારે હું મારું મસ્તક ઊંચું રાખી શકું છું અને તેમના પર ધ્યાન આપતી નથી, કારણકે હું જાણું છું, કે, પૈસો એજ સર્વસ્વ નથી. તમારે જાણવું છે હું શું બનાવું છું? હું તમારા બધાની જિંદગીમાં એક ફર્ક પેદા કરું છું! તમારા બાળકોને શિક્ષણ આપી, તૈયાર કરી, તેમને સીઈઓ, ડોક્ટર્સ અને એંજીનીયર્સ બનાવું છું! તમે શું બનાવો છો મી. સીઈઓ?” સીઈઓનું જડબું ખુલ્લુંજ રહી ગયું અને તેઓ ચૂપ જ રહ્યા. મારા જાણીતા અને અજાણ એવા તમામ શિક્ષક મિત્રો ને ખરા દિલ થી પ્રણામ.🙏🌹🕉️🙏🌹

Wednesday, June 14, 2023

*એક ગર્ભવતી હરણી જંગલમાં બાળકને જન્મ આપવા જઈ રહી હતું.તે એકાંત સ્થળની શોધમાં ફરતી હતી કે તેણે નદીના કિનારે ઊંચું અને જાડું ઘાસ જોયું. બાળકને જન્મ આપવા માટે તેને યોગ્ય જગ્યા લાગી.,* *ત્યાં પહોંચતા જ તેને પ્રસુતિની પીડા થવા લાગી.* *તે જ સમયે,આકાશમાં ભારે વાદળો વરસાદ માટે આતુર બન્યા અને વીજળીના કડાકા ભડાકા શરૂ થયા.* *જ્યારે તેણે જમણી તરફ જોયું, ત્યારે એક શિકારી તેની તરફ તીર મારવા જઇ રહ્યો* *હતો.ગભરાઈને, તે ડાબી તરફ વળી, તો ત્યાં એક ભૂખ્યો સિંહ હતો, જે ત્રાટકવા તૈયાર હતો.તો, સામેના સૂકા ઘાસમાં આગ લાગી ગઈ હતી અને જ્યારે તે પાછી વળી,ત્યારે નદીમાં પણ ઘણું પાણી હતું.* માદા હરણ શું કરશે?? તે પ્રસૂતિની પીડાથી પરેશાન હતી. હવે શું થશે? શું હરણ બચશે? શું તે તેના બચ્ચાને જન્મ આપી શકશે? શું બચ્ચા બચશે? શું જંગલની આગ બધું બાળી નાખશે? શું માદા હરણ શિકારીના તીરથી બચી જશે?શું માદા હરણ ભૂખ્યા સિંહ માટે ખોરાક બનશે? તે એક તરફ આગ અને પાછળ નદીથી ઘેરાયેલું છે. તેણીની શું કરશે? હરણે પોતાની જાતને "શૂન્ય"માં છોડી દીધી અને તેના બાળકને જન્મ આપવાનું શરૂ કર્યું....બસ જુઓ,કુદરતનો ચમત્કાર.... વીજળી અચાનક ચમકી,તો શિકારીની આંખો અંજાઈ ગઈ,અને હાથમાંથી તીર છુટી ગયું,જે તીર હરણની નજીકથી પસાર થઇ સિંહની આંખમાં વાગ્યું, સિંહ અહીં-તહી ગર્જના કરતો ભાગવા લાગ્યો. અને શિકારી સિંહને ઘાયલ સમજીને ભાગી ગયો. ભારે વરસાદ શરૂ થયો અને જંગલની આગ ઓલવાઈ ગઈ અને હરણે બચ્ચાને જન્મ આપ્યો... કેટલીકવાર આવી ક્ષણો આપણા જીવનમાં પણ આવે છે, જ્યારે આપણે દરેક બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ છીએ અને કોઈ નિર્ણય લઈ શકતા નથી ત્યારે નિયતિને બધું સોંપીને પોતાની જવાબદારી અને પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.... આખરે કીર્તિ,બદનામી,હાર, જીત,જીવન,મૃત્યુનો અંતિમ નિર્ણય ભગવાન જ લે છે.આપણે તેના પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેના નિર્ણયને માન આપવું જોઈએ. કેટલાક લોકો આપણી કદર કરશે, કેટલાક લોકો અમારી ટીકા કરશે. બંને કિસ્સાઓમાં આપણે ફાયદામાં જ છીએ.. એક આપણને પ્રેરણા આપશે અને બીજું આપણામાં સુધારો લાવશે.... *🌹Good morning 🌹* *🙏🙏જય માતાજી 🙏🙏*

Tuesday, June 13, 2023

મહેસૂલના શબ્દોનું શાસ્ત્ર ભુલાઈ ગયેલા શબ્દોને યાદ કરીએ. એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો. મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વિઘોટી" શબ્દ વપરાતો. મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ. મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે. અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મિથ છે, મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે, સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટિશ સનદી અધિકારી એન્ડરસનનું છે...એણે ઇ.સ. ૧૯૧૪માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે. આજે પણ સાત બાર કે નમૂનો ૬અ હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે. મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે. રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા. રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ. પાણીપત્રક એ પ્હાણીપત્રક છે. પ્હાણી એટલે પાક અથવા ક્રોપ. એના વિવરણને તુલવારી કહેવાય છે. જમીનનું જે ભાડું હોય એને ગણોત કહેવાય એને ચૂકવનાર એ ગણોતિયો. જમીનનો રેકર્ડ દુરસ્ત કરવા માટે જે પત્રક હોય છે એનું નામ કમીજાસ્તી પત્રક. આ બધા શબ્દો જે તે શાસનપ્રણાલી સાથે આવેલા છે અને આજે પણ અડીખમ છે. બે હક્કવાળી જમીનને દુમાલા કહેવાય. જમીનનો ભોગવટો જૂની શરત અને નવી શરત એવા શબ્દોમાં વ્યકત થાય છે. રેવન્યૂ રાહે નિકાલ એ એવો શબ્દ છે જેની અર્થચ્છાયા પકડવી મુશ્કેલ છે. આપણા સુપ્રસિદ્ધ લેખક ર.વ.દેસાઈ ગાયકવાડી રાજ્યમાં મહેસૂલી અધિકારી હતા જે સૂબાસાહેબ કહેવાય. આજે આપણે એને પ્રાંત અધિકારી કહીએ છીએ. કલેક્ટર લાટસાહેબ કહેવાતા. મામલતદારો ભાઈસાહેબ. મામલતદાર એટલે મામલો ઉકેલનાર ! જે અરેબિક શબ્દ MUAMLA ઉપરથી આવ્યો છે. શિરસ્તેદાર, અવ્વલ કારકૂન કે દફેદાર જેવાં પદો આજે નવાઈપ્રેરક લાગે. પણ એમનો દબદબો હતો. તલાટી શબ્દ પણ ગુજરાતી નથી. એની કચેરીને ચાવડી કહેવાય એ કદાચ મરાઠી શબ્દ છે. એક જમાનામાં નાનકડા તાલુકા હતા જે 'મહાલ' કહેવાતા અને એના અધિકારી એટલે મહાલકારી. રેવન્યૂ કચેરી એટલે દફતર. "દસાડા દફતરમાં જ નથી" એવી લોકોક્તિ પ્રચલિત છે. પન્નાલાલ પટેલની એક સરસ વાર્તા છે "ઘડાતો તલાટી" જેમાં વહીવટી જગત અને માનવસંવેદનાનું ગજબ નિરૂપણ છે. નદીના કાંઠા ઉપર જે જમીન ખુલ્લી થાય એને ભાઠાની જમીન કહેવાય. સૌથી ફળદ્રૂપ જમીન એટલે ક્યારીની જમીન. એ પછી આવે બાગાયત. અને સરેરાશ જમીનનું મહેસૂલી નામ છે જરાયત. ખેડૂત જે લોન લે એને તગાવી કહેવાય. પાણીના વેરાને પિયાવો કહેવાય. આ બધા શબ્દો એ પ્રચલિત ભાષાશાસ્ત્રથી અલગ છે. દરેક ખેતર એક સર્વે નંબર હોય છે જે સામાન્ય રીતે સળંગ ક્રમમાં હોય. ક્યાંક ક્રમ તૂટે તો અલગ નંબર પડે જેને "ઉડાફા નંબર " કહેવાય. જમીનના ટેસ્ટને નિમતાણો કહેવાય. મહેસૂલી અધિકારીના પ્રવાસને ફેરણી કહેવાય. જમીન મૂલ્યાંકનને મોજણી કહેવાય. બાકી વેરાની નોંધ એટલે આકારણી. ફોડવારી પણ હોય... મહેસૂલી જગત અનેક શાસકોના પ્રભાવ હેઠળ વિકસ્યું છે. નિયમો કાયદાઓ અને અનેકવિધ કામગીરી એ સત્તાની વિશેષતા છે. એમાં અરબી, ફારસી, મરાઠી પોર્ટુગીઝ અંગ્રેજી જેવી ભાષાઓની મહેક છે, પરંપરાઓ છે. મજકુર, ઈસમ, તકરાર , બખેડો, જેવા શબ્દો હજુ પણ વપરાય છે. આવા શબ્દોની એક યાદી સી.એમ.જોશી નામના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારીશ્રીએ તૈયાર કરેલી છે જે અત્યંત રસપ્રદ છે. કુલીનચંદ્ર યાજ્ઞિક "વહીવટની વાતો" નામે પુસ્તકોમાં સરસ અનુભવો આલેખે છે. લલિત દલાલ જે ગુજરાતના મુખ્ય સચિવ હતા એ આઈ.સી.એસ. અમલદારોની છેલ્લી કડી સમાન હતા. એમણે "સનદી સેવાનાં સંભારણાં" એ નામે સાહિત્યિક મૂલ્ય ધરાવતું પુસ્તક લખ્યું છે. પી.કે.લહેરી સાહેબ વૈવિધ્યસભર લેખો લખે છે. એ પણ નિવૃત આઈ. એ.એસ.અધિકારી છે. વી. આર. એસ કૌલગીને સાંભળવા એ લ્હાવો ગણાય. કોહેલ્લો નામના કલેક્ટર હતા જેમને પદ્મશ્રી મળેલો. જાહેરસેવક માટે આ અપવાદરૂપ ઘટના છે. કોઠાસૂઝ, હૈયાઉકલત અને ત્વરિત નિકાલ એ મહેસૂલી અધિકારી માટેનાં આવશ્યક લક્ષણો છે. મોરારજી દેસાઈ પણ રેવન્યૂ ઓફિસર હતા. ક.મા.મુનશીના પિતાશ્રી પણ મામલતદાર હતા. એમના વડવાઓ એટલે કે "ટેકરાના મુનશીઓ" મોટેભાગે મહેસૂલી અધિકારીઓ જ હતા. મુનશી એટલે જ સફળ લેખકની સાથેસાથે એટલા જ સફળ વહીવટદાર પણ હતા. મહેસૂલી અધિકારીઓને વ્યાપક અનુભવો, જાણકારી, અજાણ્યા પ્રદેશો, પડકારો અને આકસ્મિકતાઓ વચ્ચે રસ્તો કાઢવો પડતો હોય છે. એમાં જો શબ્દની છટા ભળી જાય તો અવનવા અનુભવોથી વાચક ન્યાલ થઈ જતો હોય છે.

Sunday, April 9, 2023

એક ગધેડાએ વાઘને કહ્યું, "ઘાસ વાદળી છે. " વાઘે જવાબ આપ્યો, "ના, ઘાસ લીલું છે." ચર્ચા ગરમ થઈ, અને બંન્ને વિવાદ ના નિરાકરણ સારુ મધ્યસથી (લવાદ )માટે જંગલના રાજા સિંહ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા. રાજાએ બન્નેની દલીલો સાંભળી જાહેર કર્યું કે , "વાઘને એક વર્ષ માટે મૌન રહેવાની સજા કરવામાં આવે છે ." ગધેડો ખુશખુશાલ કૂદકા મારતો ગધેડાઓ ની ભીડ સામે બૂમો પાડવા લાગ્યો. હું સાચો.. આપણે વાઘ ને હરાવ્યો, આજથી , "ઘાસ વાદળી જ ગણાશે ." વાઘે કાયદા નું પાલન ને આદર કરી સજા સ્વીકારી લીધી, પરંતુ તે સાથે સિંહને પૂછ્યું કે, "મહારાજ, તમે મને શા માટે સજા કરી, આખું ઘાસ લીલું છે, તમે પણ સત્ય જાણો છો છતાં મને મૌન રહેવાની સજા કેમ?." સિંહે જવાબ આપ્યો, "સજા ઘાસ ના રંગ બાબતે સત્ય શું એના સંબંધે નથી કરી, પણ તમારા જેવા બહાદુર અને બુદ્ધિશાળી પ્રાણી ગધેડા સાથે દલીલ કરવામાં સમય બગાડ્યો એના માટે કરી છે " " મૂર્ખ અને કટ્ટરપંથી કે જેઓ વાસ્તવિકતા, તથ્ય કે પુરાવાઓ ની પરવા કર્યા સિવાય દલીલો કરતા હોય તેમની સામે શબ્દો અને સમય નો બગાડ એક ગુન્હો જ ગણાય. સાર :- જ્યારે અજ્ઞાન ચીસો પાડતું હોય ત્યારે બુદ્ધિએ મૌન રહેવું જોઈએ...

Sunday, April 2, 2023

*ચેતો વેળાસર ચેતો* *ભારતમાં ઘણા શિક્ષિત લોકો પણ ખાનગીકરણને ખૂબ હળવાશથી લઈ રહ્યા છે.* *ખાનગીકરણ એ "ગુલામી નો સ્ક્રૂ" છે જે ધીમે ધીમે તમારું ગળું દબાવી દેશે!!* *એ સમય દૂર નથી જ્યારે ઈતિહાસ શીખવવામાં આવશે કે ભારતની છેલ્લી સરકારી ટ્રેન, છેલ્લી સરકારી બસ, છેલ્લી સરકારી વીજ કંપની, છેલ્લું સરકારી એરપોર્ટ અને છેલ્લી જાહેર સાહસ (કંપની) કઈ હતી?* *જો કોઈ સરકારી ઉપક્રમ કે સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવે તો સામાન્ય જનતાનું મૌન એક દિવસ આખા દેશને છવાઈ જશે. કારણ કે જ્યારે* *તમામ શાળાઓ,* *તમામ હોસ્પિટલો,* *તમામ રેલ્વે સ્ટેશન,* *જો એરપોર્ટ, વીજળી, પાણી બધું જ ખાનગી કંપનીઓ ના હાથમાં હશે, તો તમે જોશો કે સરમુખત્યારશાહી શું છે?* *યાદ રાખો, સરકાર અને સરકારી પહેલનો હેતુ સૌથી ઓછા ખર્ચે શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો છે. તેથી, ખાનગી કંપનીઓનું લક્ષ્ય લઘુત્તમ ખર્ચ સાથે મહત્તમ નફો મેળવવાનું છે.* *તેમાં કોઈ શંકા નથી કે આનાથી હાલની સરખામણીમાં વધુ બેરોજગારી અને ઓછી રોજગારી વધશે.* *દાખલા તરીકે, આજની પરિસ્થિતિ માં તમે જુઓ ખાનગી શાળાઓ, ખાનગી હોસ્પિટલોની હાલત જુઓ! શાળા અને હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ સામાન્ય માણસનું ઘર અને જમીન વેચી દેવામાં આવશે.* *ખાનગીકરણના કાવતરા પર લોકોનું મૌન કેટલાક ઉદ્યોગપતિઓની દેશને ગુલામ બનાવવાની નીતિને અનુરૂપ છે.* *તો જાગો અને તમારો દેશ અને દેશની જાહેર સંપત્તિને બચાવો. રેલ્વે બચાવવી પડશે, સરકારી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને બચાવવી પડશે,* *સરકારી વીજ કંપનીઓ (mseb), lic, bsnl, એર ઈન્ડિયા અને પોસ્ટ ઓફિસને બચાવવી પડશે,* *સરકારી કર્મચારીઓ અને સરકારી વિભાગોને બચાવવા પડશે. પૂર્વ ભારત બ્રિટિશ કંપનીને ચૂકી જાય છે. વેપાર માટે આવ્યા અને 200 વર્ષ શાસન કર્યું.* *ભાગ્યે જ માત્ર સરકારી વિભાગો જનતા માટે કામ કરવા આગળ આવે છે, કોઈ ખાનગી ક્ષેત્ર સામાન્ય લોકો માટે કામ કરતું નથી, જેનું ઉદાહરણ તમે તાજેતરમાં જોયું જ હશે..* *મજૂરો, કામદારો અને વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી બસો..?* *કેટલી ખાનગી સંસ્થાઓ અને એનજીઓ પાયાના સ્તરે લોકોને મદદ કરી રહી હતી...?* *કોવિડ કાળ માં કઈ ખાનગી એરલાઇન પણ ભારતીયોને એરલિફ્ટ કરી રહી હતી?* *કેટલા ખાનગી પાઇલોટ્સે તાલિબાનમાં ઘૂસણખોરી કરી અને દેશવાસીઓને બહાર કાઢ્યા?* *તેથી જ દરેક ભારતીય નાગરિકે ખાનગીકરણનો વિરોધ કરવો જોઈએ,,,* *નહીં તો ભવિષ્યમાં અમુક ઉદ્યોગપતિઓ જ આ દેશને પોતાના ઘરેથી ચલાવશે અને પૂર્વી ભારતનો યુગ ફરી આવશે, આ વખતે સત્તા અને સત્તા એવું વિચારનારાઓના હાથમાં હશે.* *રાજકીય સત્તા તો દેખાડો બનીને જ રહેશે, ખાનગીકરણના જંક લોકો આ વાત સમજી શકતા નથી કારણ કે કેટલાક લોકો તેમના મન સાથે રમત રમી રહ્યા છે.... બે જ રસ્તા છે કાં તો તમે અંબાણી, અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ બનો.* *ગરીબ અને મધ્યમ વર્ગ જીવી શકે તે શક્ય નથી.* *ઉદાહરણ તરીકે જુઓ.: jio. ડેટા...* *પ્રથમ વખત..ફ્રી* *બાદમાં રૂ. 49/-* *પછી રૂ. 99/-* *બાદમાં રૂ. 149/-* *તો 199/-* *બાદમાં રૂ. 249/-* *પછી રૂ. 299/-* *રૂપિયો. 399/-* *રૂપિયો. 499/-* *રૂપિયો. 599/-* *રૂપિયો. 699/-* *અને હવે રૂ. 720/-* *માત્ર 5 વર્ષમાં રૂ.49 થી રૂ.720 સુધી 1400% નો વધારો* *આ છે ખાનગીકરણનું પરિણામ, વિચારો, સંગઠિત થાઓ, રોકો!!* *એક દેશભક્ત ભારતીય નાગરિક...*

Monday, December 19, 2022

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો...* *મફતની સલાહને નકામી સમજશો નહિ...*. મને કોઈ રોગ નથી મારે કંઈ જરૂર નથી *આવી બડાઈ માર્યા વગર આખી પોસ્ટ વાંચી લેજો*.. *અને પછી આ ઉપાય પણ અજમાવવાનું ચાલુ કરી દેજો...* *૦૧* એક ગુજરાતી મહિલાએ લખ્યું કે મારા દાદા *૮૭* વર્ષની વયે અવસાન પામ્યા, પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો માથાનો દુખાવો, દાંતના દુ:ખાવા નહીં તેણે એકવાર કહ્યું હતું કે મેંગ્લોરમાં રહેતા દરમિયાન તે એક વૃદ્ધને મળ્યો હતો. તેણે સૂતા સમયે તેને પગના તળિયા પર તેલ લગાડવાની સલાહ આપી હતી અને ત્યારથી આ સારવાર તેમના સ્વાસ્થ્યનો એકમાત્ર સ્રોત છે. તેથી તેમને ક્યારેય કોઈ તકલીફ ન પડી, *૦૨* મણિપાલના એક વિદ્યાર્થીએ કહ્યું કે મારી માતાએ મારા પગ નીચે નાળિયેર તેલ લગાવવાનો આગ્રહ રાખ્યો હતો તેણે કહ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેની નજર ઓછી હતી. જેમ જેમ તેણીએ આ પ્રક્રિયા ચાલુ રાખી, મારી દૃષ્ટિ ધીરે ધીરે સંપૂર્ણપણે અને સારા સ્વાસ્થ્યમાં સુધરી. *૦૩* ઉદૂપીના એક ગૃહસ્થ શ્રી. કામથ જે એક વેપારી હતા તેણે લખ્યું કે હું રજા માટે કેરળ ગયો હતો. હું ત્યાંની હોટલમાં સૂઈ ગયો હું સૂઈ શક્યો નહીં હું દોડવા લાગ્યો. રાત્રે બહાર બેઠેલા એક વૃદ્ધ રક્ષકે મને પૂછ્યું, "શું થયું?" મેં કહ્યું હું સૂઈ શકતો નથી! તેણે હસીને કહ્યું તમારી પાસે નાળિયેર તેલ છે ?" મેં કહ્યું નહીં તે ગયા અને થોડુંક નાળિયેર તેલ મેળવ્યું અને કહ્યું તમારા પગના તળિયાઓને થોડીવાર માટે માલિશ કરો પણ પછી હું શાંતિથી સૂઈ ગયો. અને હવે હું ફરીથી સામાન્ય છું. *૦૪* વધુ સુખી ઉંઘ આવે છે અને થાક ઓછો થાય છે માટે રાત્રે સુતા પહેલા પગના તળિયા ઉપર નાળિયેર તેલની માલિશ કરો. *૦૫* મને પેટ માં દુખે છે નાળિયેર તેલમાં માલિશ કરવા પછી મારા પેટમાં દુખાવો *૨* દિવસમાં સાજો થઈ જાય છે *૦૬* વાસ્તવિક આ પ્રક્રિયાની જાદુઈ અસર છે રાત્રે સુતા પહેલા મેં મારા પગના તળિયાઓને નાળિયેર તેલથી માલિશ કર્યા આ પ્રક્રિયાથી મને ખૂબ જ શાંત ઉંઘ મળી. *૦૭* હું છેલ્લા *૧* વર્ષથી આ કરી રહ્યો છું આ મને તરત જ ઉંઘ આવી જાય છે હું મારા નાનાં નાનાં નારિયેળનાં પગનાં તળિયાઓની પણ માલિશ કરું છું જે તેમને ખૂબ ખુશ અને સ્વસ્થ રાખે છે. *૦૮* મારા પગમાં ઇજા પહોંચી છે. રાત્રે સૂતા પહેલા મેં દરરોજ ૨ મિનિટ માટે નારિયેળ તેલથી મારા પગના તળિયાઓની માલિશ કરવાનું શરૂ કર્યું. આ કાર્યવાહીથી મારા પગમાં દુખાવો દૂર થયો *૦૯* મારા પગ હંમેશાં સૂજેલા હતા અને ચાલતા જતા મને થાક લાગે છે. રાત્રે સુતા પહેલા મારા પગના તળિયાઓ નાળિયેર તેલથી માલિશ કરવાની આ પ્રક્રિયા મેં શરૂ કરી હતી. ફક્ત *૨* દિવસમાં મારા પગનો સોજો અદૃશ્ય થઈ ગયો *૧૦* રાત્રે સુતા પહેલા મેં મારા પગના તળિયાઓને નાળિયેર તેલથી માલિશ કર્યા. તેના કારણે હું ખૂબ જ શાંતિથી સૂઈ ગયો *૧૧* આ એક મહાન વસ્તુ છે શાંત ઉંઘ માટે ઉંઘની ગોળીઓ કરતાં આ ટીપ સારી છે. હવે હું દરરોજ મારા પગ પર નાળિયેર તેલ લઈને સૂઈશ *૧૨* દાદાના પગ બળી રહ્યા હતા અને તેને માથાનો દુખાવો ઘણો હતો. તેણે તેના તળિયે નાળિયેર તેલ લગાવવાનું શરૂ કર્યું જેનાથી પીડા દૂર થઈ. *૧૩* મને થાઇરોઇડ રોગ હતો. મારા પગમાં આખો સમય ઈજા થાય છે ગયા વર્ષે એક બીજ સુતા પહેલા પગના તળિયા ઉપર નાળિયેર તેલની માલિશ કરવાની સલાહ આપતો હતો. હું કાયમી ધોરણે આ કરી રહ્યો છું હવે હું સામાન્ય રીતે શાંત છું. *૧૪* મારા પગ પર છાલા છે હું રાત્રે સૂતા પહેલા ચાર દિવસથી મારા પગના તળિયાંને નાળિયેર તેલથી માલિશ કરું છું તેમાં મોટો ફરક છે *૧૫* મને બાર કે તેર વર્ષ પહેલાં હેમોરહોઇડ્સ હતા મારો મિત્ર મને *૯૦* ના દાયકામાં લઈ ગયો તેમણે હાથની હથેળીઓ પર, આંગળીઓની વચ્ચે, નખની વચ્ચે અને નખ પર નાળિયેર તેલ નાખવાની સલાહ આપી અને કહ્યું નાળિયેર તેલના ચારથી પાંચ ટીપાં નાભિ પર લગાવો અને સૂઈ જાઓ‌ મેં હકીમ સાહેબની સલાહને અનુસરવાનું શરૂ કર્યું મને ખૂબ રાહત થઈ આ ટીપે મારી કબજિયાતની સમસ્યા પણ હલ કરી છે મારા શરીર પરનો થાક દૂર થઈ જાય છે અને હું હળવાશ અનુભવું છું નસકોરા રોકે છે *૧૬* મને મારા પગ અને ઘૂંટણમાં દુખાવો છે હું મારા પગના તળિયા પર નાળિયેર તેલની માલિશની ટોચ વાંચું છું ત્યારથી હું દરરોજ તે કરું છું તે મને નિંદ્રામાં બનાવે છે. *૧૭* જ્યારે હું રાત્રે સૂતા પહેલા મારા પગ પર નાળિયેર તેલની માલિશ કરવાની આ પદ્ધતિનો ઉપયોગ કરું છું ત્યારે મારી પીઠનો દુખાવો ઓછો થયો છે અને હું ખૂબ સૂઈ ગયો છું દક્ષિણ ભારતીય રહસ્ય નીચે મુજબ છે એકમાત્ર ગુપ્ત અને દરેક માટે ખૂબ જ સરળ છે તમે ફક્ત આખા પગ પર નાળિયેર તેલ લગાવી શકો છો, ખાસ કરીને શૂઝ ઉપર ત્રણ મિનિટ અને જમણા પગના તળિયા ઉપર કોઈપણ સમયે સૂતા સમયે પગના તળિયાની માલિશ કરવાનું પ્રારંભ કરો અને તે જ રીતે બાળકોના પગની પણ માલિશ કરો આખી જીંદગી માટે તેને રોજિંદા બનાવો.પછી પ્રકૃતિની પૂર્ણતા જુઓ તમે જીવનભર ઘણા આરોગ્ય લાભોનો અનુભવ કરી શકો છો પ્રાચીન ચાઇનીઝ ચિકિત્સા મુજબ, પગ નીચે *૧૦૦* જેટલા એક્યુપ્રેશર પોઇન્ટ છે તે અંગોને દબાવવા અને માલિશ કરવાથી ઘણી બિમારીઓ પણ મટી જાય છે પ્રતિ ‌ *પગ રીફ્લેક્સોલોજી* *૧૭* તે કહેવાય છે. આ પગની મસાજ થેરેપીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. *૧૮* *કૃપા કરીને આ માહિતી શક્ય તેટલા તમારા મિત્રો સાથે શેર કરો*

Thursday, November 10, 2022

*રિવાજ માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત*😀😀 મનુભાઈ મુંબઈ થી અમદાવાદ એમના વેવાઈ ને ત્યાં આવેલા. બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા. મનુભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.વીણાબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨, ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું. લાપસી, દૂધપાક, પૂરી, પરવળ નું શાક, દાળ, ભાત, પાપડ, અથાણાં પીરસ્યા. સાથે થાળીમાં લીમડા ના ૧૦ દાતણ ની ઝૂડી પણ મૂકી. મનુભાઈ આ ૧૦ દાતણ ની ઝૂડી જોઈ અચરજ પામ્યા. પરંતુ કશું બોલ્યા નહીં. મનુભાઈ દાતણ ની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા. મુખવાસ ખાધો.સમાજની વાતો કરી. પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું, વેવાઈ આ જમવાની થાળી માં લીમડાના ૧૦ દાતણ ની ઝૂડી મૂકવાનું શું કારણ? વેવાઈ એ વિસ્તાર થી જવાબ આપ્યો કે "મનુલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલ ને ત્યાં ગયો હતો, હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળના ૯ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે ૧૦ દાતણ ની ઝૂડી મૂકી". મનુભાઈ ને આમાં રસ પડ્યો તો તમે વેવાઈ તમારા સાઢુભાઈ ને પૂછ્યું નહિ કે આ ૯ દાતણ શાના મૂક્યાં. વેવાઈ કહે, મનુભાઈ મેં તો કંઈ પૂછ્યું નહિ. મનુભાઈ ને તાલાવેલી થઈ કે સાલું આ તો અચરજ કહેવાય. આનું રહસ્ય તો જાણવું જ પડશે. મનુભાઈ અને વેવાઈ બંને સુમતિલાલના ઘરે ગયા. ૯ દાતણ વિશે પૂછ્યું, સુમતિલાલ કહે હું મારા બનેવી બાબુલાલને ત્યાં જમવા ગયો હતો ત્યાં ૮ દાતણ મૂક્યાં હતાં. તેથી મેં એક દાતણ વધારી ૯ મૂક્યાં. મનુભાઈ ને તાલાવેલી વધવા લાગી. ૮ દાતણ મૂક્યાં હતાં તે ઘેર, ૭ દાતણ મૂક્યાં હતાં તે ઘરે, ૬ દાતણ મૂક્યાં હતાં ત્યાં, એમ ૫, ૪, ૩ દાતણ મૂક્યાં હતાં તે તમામ ઘરે ગયા,પણ આનું રહસ્ય ઉકેલાયુ નહીં. છેલ્લે જેણે ૨ દાતણ થાળી માં મૂક્યાં હતા, તે રમણીકભાઇ ના ઘરે ગયા. તેમણે કહ્યું, "જુઓ ભાઈ હું એકવાર ગામડે ગયો હતો, અમારા એક સગા વિધવા માજી રહે. સંતાન માં એક દીકરી , તે પણ પરણાવી દીધેલી. માજી ઘરમાં એકલા બિચારા. હું એમના ઘરે જમવા બેઠો, તો મારી થાળી માં ૧ દાતણ મૂક્યું, મેં તો કંઈ માજી ને દાતણ વિશે પૂછ્યું નહીં. મનુલાલ ને હજુ રહસ્ય મળતું નથી. મનુભાઈ પેલા વિધવા માજી નું સરનામું લઈ ને એમના ઘરે પહોંચ્યા. માજી એ આવકારો આપ્યો. માજી ના ખબર અંતર પૂછ્યા, અને પછી હળવેકથી માજીને પૂછ્યું, "માજી રમણીકભાઇ આપને ત્યાં એકવાર જમવા આવ્યા હતા, ત્યારે આપે સારી રીતે જમાડ્યા હતા, અને થાળીમાં ૧ લીમડાનું દાતણ મૂક્યું હતું, તો લીમડા નું દાતણ મૂકવાનું કારણ શું?" માંજી એ કહ્યું, "જુવો મનુલાલ, ભાઈ હું ઘરમાં એકલી, દીકરી સાસરે રહે. તે દીવસે રમણીકભાઇ આવ્યા ત્યારે શીરો, પૂરી, શાક, દાળભાત બનાવેલા, હવે દાળ વાટકી માં હલાવવા મારા ઘર માં ચમચી નહિ, એટલ મેં લીમડા નું દાતણ દાળ હલાવવા મૂક્યું હતું........." મનુભાઈ ને લીમડા ના દાતણ નું રહસ્ય મળી ગયું. બધું આંધળે બહેરું કુટાય છે, માજી ના ઘરમાં ચમચી નહોતી એટલે લીમડાનું દાતણ મૂકતા હતા. દરેક રિવાજ જે તે સમય ની માંગ, સંજોગો, જે તે સમાજની શક્તિ અનુસાર અને વ્યક્તિ ની સવલત અનુસાર ઘડાયેલ હોય છે. એનું અનુકરણ ના હોય કે સ્પર્ધા પણ ના હોય. દરેક સમાજ માં આમને આમ જ અમુક રીવાજો માં ગાડરિયો પ્રવાહ ચાલે છે. 🙏🏻😀😀😜😂😂

Wednesday, November 2, 2022

મોરબી માટે એક લોક ગીત પ્રસિધ્ધ છે "મને જાવાદો મોરબીના રાજા...નથી કરવા મૂલ ...તારી મોરબી થાશે ડૂલ..." વાણિયા ની દીકરી ને મચ્છુનું પાણી ભરતા મોરબીના કુંવારા કુંવરે માત્ર ઘોડો આડો ઉભો રાખીને મોરબીના વાણિયાની એ 16 વર્ષની દીકરીને પોતાની સાથે વિવાહ કરવા માટે માત્ર આગ્રહ પૂર્વક દબાણ જ કર્યું હતું બસ. તેના પાલવને તે કુંવર અડકયો સુધો નહોતો. છતાં આવા ઓચિંતા માનસિક દબાણથી તે દીકરી ડઘાઈ ગઈ હતી. તેને મનમાં થયું કે " ચોક્કસ હવે મોરબીના રાજા મારું અપહરણ કરાવી લઈને મને તેમના કુંવર સાથે બળજબરીથી પણાવ્યા વગર છોડશે નહિં...અને જો પરજ્ઞાતિમાં મારા આવ લગ્ન થશેતો અમારા મહાજન સમાજના પંચ વચ્ચે મારા બાપને ઈજ્જતના માર્યા ઝેર ઘોળવું પડશે.!!!.. માવતરની ઈજ્જત બચાવવા માટે અને આવી શકવર્તી શક્યતાનો ભય લાગવાથી આ સગીર દિકરીયે હાલ જયાં ત્રણ દરવાજા પાસે ગ્રીન ચોક છે ત્યાં આવીને જાહેરમા ઝેર ખાઈને સતી થઈ હતી. અને ડૂલ ( ડૂબવાથી મોત ) નો શાપ આ જગાએ થીજ આપ્યો હતો. હકીકત મા મોરબીના રાજવી ખુબજ ધાર્મિક હતા... વ્યભિચારી કે પાપી નહોતા. તેમણે તો ઉલટાના આ નાલેશિ ભરી વાત જાણીને પોતાના કુંવરને આકરી સજા ફટકારી હતી. અને આ કુંવારી સતી ની યાદમાં ત્યાં નાની દેરી બનાવી હતી ( જે હાલમા હયાત નથી ). કહેછે કે ઇ.સ. 1856 ની આસ પાસ આ ગોઝારો બનાવ બન્યો હતો. પણ માવતરની ઈજ્જત માટે સતી થનાર આ કુંવાસી ના સત ની તાકાત તો જુઓ !!!??? ઇ.સ. 1857 ની 30 મી ઓક્ટોબરના આજ દિવસે મોરબીના પ્રજાજનો છીછરા પાણીમાં થઈ ને સામે કાંઠે આવેલા રાજમહેલમાં રાજાને નવા વર્ષના વધામણા આપવા જઈ રહયા હતા ત્યારે બરાબર તેજ સમયે મચ્છુના ઉપરવાસમાં આભફાડ વરસાદ વરસ્યો હતો. અને છીછરા પાણીમાં થઈને રાજા પાસે જઈ રહેલા સેંકડો નગરજનો ઉપર ઘોડાપુરનું પાણી ફરી વળ્યું હતું અને તમામના મોત થયાં હતાં. તા.11/ 8 /79 મચ્છુ ડેમ તૂટ્યો અને આજ ૩૦ ઓક્ટોમ્બર ૨૨ નાં રોજ પૂલ હોનારત મા અનેક લોકો નો ભોગ લેવાયો એક વાત જોગાનુજોગ છે 11/8/1979 મચ્છુ હોનારત, 21 વર્ષે 26/1/2001 ભૂકંપ, 21 વર્ષે 30/10/2022 ઝૂલતા પુલ દુર્ઘટના 21 વર્ષે દુર્ઘટના,

Wednesday, August 31, 2022

*ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો..

*ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો... વર્ષ ૨૦૦૭ ના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક કલિયા મૂર્તિ પાસે રાષ્ટ્રપતિ કલામ સાહેબ નો ફૉન આવ્યો અને પૂછ્યું કે તમે જાણો છો કે તમારા જિલ્લા મા થુરેયુર નામ નું એક ગામ છે .. પોલીસ અધિક્ષક એ હા પાડી તો કલામ સાહેબ કહ્યું કે ત્યાં સરસ્વતી નામની ૧૭ વર્ષ ની કિશોરી ના લગ્ન જબરદસ્તી થી ૪૩ વર્ષ ના વ્યકિત સાથે કરાવાય રહ્યા છે મને જાણવા મળ્યું કે તે લગ્ન કરવા તૈયાર નથી અને તે ૧૨ મા ધોરણ મા જિલ્લા મા પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આગળ ભણવા માગે છે.. શુ તમે મદદ કરી શકો છો ? અને કલામ સાહેબ ના આદેશ થી એક કલાક મા આ ગામ માં DSP ,SP ,DIG સહિત પોલીસ નો મોટો કાફલો લગ્ન સ્થળે પહોંચી ગયો .. તેમના માતાપિતા ને સમજાવી લગ્ન રદ કરવામાં આવ્યા.. અને કારણ જાણવા મળ્યું કે અતિશય ગરીબી અને પૈસા ના અભાવે આ નિર્ણય લીધો હતો.. જિલ્લા પોલીસ વડા એ દીકરી સરસ્વતી ને પૂછ્યું કે તુ આગળ ભણવા માગે છે ? અને કયા ભણવું છે...? તેણે જિલ્લા ની એક પ્રસિદ્ધ કોલેજ નું નામ આપ્યું.. જ્યાં તે કોમ્પુટર સાયન્સ મા પ્રવેશ લેવા માગતી હતી. સ્વાભાવિક છે કે તેને એક ફોન પર જ પ્રવેશ મળી ગયો.. કેમ કે તેમની ભલામણ ખુદ અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ એ કરી હતી .. પ્રવેશ પછી પોલીસ વડા એ સરસ્વતી ને પૂછ્યું કે રાષ્ટ્રપતિ ને તારા કેસ ની ખબર કેવી રીતે પડી.. તો સરસ્વતી એ જણાવ્યું કે મે જ તેમને સીધો ફૉન કર્યો હતો.. વાત કેક એમ હતી એક વખત તેમની શાળા ના કાર્યક્રમ મા રાષ્ટ્રપતિ કલામ સાહેબ હાજર રહેવાના હતાં .. ત્યારે સરસ્વતી એ પૂછ્યું કે મારા જેવી છોકરી ઓ નો વિકાસ કેવી રીતે થય શકે ? ડો કલામ સાહેબ કહ્યું કે શિક્ષણ જ આનો જવાબ છે.... ત્યાર બાદ તેઓ મને તેમનું કાર્ડ અને ફોન નંબર આપી ને જતા રહ્યા.. જ્યારે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે મે ડો કલામ સાહેબ ને ફૉન પર આપવીતી જણાવી અને મદદ કરવા વિનંતી કરી... અને બાકી નું કામગીરી તેમના આદેશ થી પોલીસ વડા એ પૂર્ણ કરી... આજે આ સરસ્વતી નામની યુવતી હ્યુસ્ટન મા માઈક્રોસોફ્ટ કંપની મા માસિક ૩ લાખ રૂપિયા ના પગાર ધોરણ પર વિદેશ માં નોકરી કરી પરિવાર સાથે સુખી જીવન જીવે છે... નિવૃત્ત જિલ્લા પોલીસ વડા કલીયા મૂર્તિ એ વર્ણવેલ ડો કલામ સાહેબ ની માનવતા ની સત્ય ઘટના....* *(ક્લામ કો સલામ )*

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ

 *આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ  નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આ...