We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Friday, April 29, 2022
રવિવાર નો દિવસ... સવારના દસ વાગ્યા હતા. અચાનક મારા મિત્ર ભાવેશ નો મોબાઈલ મારા ઉપર આવ્યો... ભાવેશ નો નંબર અને નામ વાંચી મને નવાઈ લાગી... જિંદગી ની રફતાર ..રૂપિયાની વાત કરું તો અમારા થી ઘણો દૂર નીકળી ગયો હતો... કરોડો ની વાતો ...અને કરોડો ના બિઝનેસ માં મારા જેવો પગારદાર મિત્ર ની અચાનક યાદ કેમ આવી ? મેં કીધું બોલ દોસ્ત...સુદામા ની યાદ કેમ આવી ? મારે તને મળવું છે ભાવેશ ની વાત માં ઢીલાશ હતી.. મેં કીધું દોસ્ત એપોઇન્ટમેન્ટ મોટા માણસ ની લેવાય અમે તો નાના માણસ...આવ દોસ્ત હું ઘરે જ છું.. થોડીવાર પછી...ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો... મેં તેને આવકાર્યો.... થોડી વાતચીત પછી મેં કીધું દોસ્ત તારું અચાનક આ તરફ આવવા પાછળ કોઈ કારણ તો છુપાયેલ હોવું જોઈએ.. તારી વાત સાચી છે...દોસ્ત આજે તારે મારી સાથે આવવાનું છે...ભાવેશ બોલ્યો ક્યાં ? રોહિત ના ઘરે ? પણ રોહિત ને તો આ દુનિયા છોડે 20 વર્ષ થવા આવ્યા... હવે તેના ઘરે જઈ તારે શું કરવું છે ? મારે જૂનો હિસાબ પૂરો કરવો છે...ઢીલા અવાજે ભાવેશ બોલ્યો *નવીન* તેં મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતો સમજાવતા કીધું હતું... દોસ્ત... હક્ક નું રાખ ..બાકી નું પાછું આપી દે... મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી.... તેં મને ચર્ચા ના અંતે ફક્ત એટલુંજ કીધું હતું... દોસ્ત..ખરાબ કર્મ ના કુંડાળા માં પગ ભૂલથી પણ ન મુકતો...ભગવાન પણ નહીં બચાવી શકે તને ..કારણ એ પોતે કર્મબંધન થી બંધાયલો હોય છે.. મેં કીધું...હા દોસ્ત મને હજુ બધું જ યાદ છે...રોહિત નું અચાનક હાર્ટફેલ થી અવસાન થયું...તમારા બંન્ને વચ્ચે મૌખિક લાખો કરોડો ની લેવદેવડ હતી.... રોહિત પોતાની "ડાયરી" માં આ લેવદેવડ લખતો હતો..તેમાં તારે એ સમયે સવા કરોડ રોહિત ના પરિવાર ને ચૂકવવા ના નીકળતા હતા..એ સત્ય હકીકત તું પણ જાણતો હોવા છતાં..તેં આ ડાયરી નો હિસાબ ખોટો છે કહી..વાત ને નકારી કાઢી હતી. રોહિત ની પત્ની અને તેનો છોકરો દેવેન્દ્ર સંસ્કારી અને ધાર્મિક સ્વભાવ ના હતા તેઓએ હાથ જોડી ત્યારે તને કીધું હતું...તમારી અને પપ્પા ની કાચી ચિઠ્ઠી નો હિસાબ હું જાણતો..નથી પણ પપ્પા ની ડાયરી માં હિસાબ તારીખ સાથે લખેલ છે.. છતાં પણ મેં પપ્પા નો હિસાબ મારા ઠાકોરજી ને સોંપ્યો છે.....તમને એટલું જરૂર કહીશ...એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો...અંકલ ..કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેઠો ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે... હા અને એ પણ યાદ રાખજો...મારા હક્ક ના રૂપિયા તમારા ઘર માં હશે..તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવા પડશે... *નવીન* તને હજુ બધું યાદ છે?..ભાવેશ બોલ્યો હા ભાવેશ..જીવન માં અમુક સમય સ્થળ, સંજોગ અને બનાવ જીવનના અંત સુધી ભૂલાતા નથી... રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર...તમારા બન્ને ની લેવદેવડ મને ખબર ન હતી પણ રોહિત નો છોકરો દેવેન્દ્ર ની આંખ ની ભાષા માં સત્ય હતું સાથે ભગવાન ઉપર નો પૂર્ણ વિશ્વાસ હતો. પણ અચાનક તેના ઘરે જવાનું કારણ.. મેં પૂછ્યું જો દોસ્ત..મારો પુત્ર સંતોષ નો ગંભીર કાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે..અત્યારે ICU માં છે...ડોક્ટર ખૂબ પ્રયત્ન બચાવવા માટે કરી રહ્યા છે...જીવન મરણ નો ખેલ છે..બચે તો પણ કોઈ શારિરીક ખામી આવે તેવી બીક છે....મારી પાસે કરોડો રૂપિયા છે..સામે વારસદાર એક જ છે..મન મારુ ગભરાઈ રહયું છે....દોસ્ત ચલ ઉભો થા દોસ્ત....આજે મોડું ન કરતો.. અમે...કાર માં રોહિત ના ઘરે પહોંચ્યા...રોહિત ના પત્ની સ્વાતિ અમને ઓળખી ગઈ ..તેમણે અમને આવકાર આપ્યો... થોડી વાર પછી....સ્વાતિ એ ભાવેશ સામે હાથ જોડી પૂછયુ...ભાવેશભાઈ હજુ કંઈ હિસાબ ચૂકવવા નો અમારા તરફ થી બાકી
Tuesday, April 26, 2022
*ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનો અંતિમ સંસ્કાર થયો,, તેમનું શરીર તો પંચમહાભૂત માં વિલીન થઈ ગયું પણ હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું રહ્યું હતું,, અને બિલકુલ સુરક્ષિત હતું ભગવાનનું હૃદય આજ સુધી સુરક્ષિત છે, જે પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમમાં આજે પણ ધબકી રહ્યું છે, જે બાબત ખૂબ ઓછા લોકોને ખબર છે....* 🙏🏻🙏🏻 *મહાપ્રભુ નું મહારહસ્ય સોના ના ઝાડુથી સફાઈ.....* 🌸🌸🌸🌸🌸 *મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ) ને કળિયુગ ના સાક્ષાત ભગવાન કહેવાય છે...પુરી (ઓરિસ્સા)માં જગન્નાથ સ્વામી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નિવાસ કરે છે,પણ એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *દર 12 વર્ષે મહાપ્રભુજી ની મૂર્તિ ને બદલવામાં આવે છે, ત્યારે આખાય નગરમાં બ્લેકઆઉટ (અંધકાર)કરવામાં આવે છે, લાઈટ બંધ થયા પછી CRPF ની સેના મંદિરને ચોતરફ થી ઘેરી લે છે,તે સમયે મંદિરમાં કોઈપણ નો પ્રવેશ નિષેધ હોય છે....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *મંદિરમાં અંદર ગાઢ અંધકાર રહે છે, પૂજારીની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે, પૂજારીના હાથમાં ગ્લોવ્ઝ (એક પ્રકારના હાથમોજા) પહેરાવવામાં આવે છે, પછી પૂજારી જૂની મૂર્તિમાંથી (બ્રહ્મપદાર્થ) કાઢીને નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે...આ બ્રહ્મ પદાર્થ શુ છે ? આજસુધી આ બાબતની કોઈને ખબર નથી, એને આજસુધી કોઈએ જોયું નથી, હજારો વર્ષોથી આવી રીતે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં દર 12 વર્ષે બ્રહ્મ પદાર્થ ટ્રાન્સફર થાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *આ એક અલૌકિક પદાર્થ છે, જેના સ્પર્શ માત્રથી કોઈ પણ માણસના ચીંથરા ઉડી જાય, આ બ્રહ્મ પદાર્થ નો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે પણ આ શું કે કોઈ જાણી પણ શકે નહીં ? ભગવાન જગન્નાથજી અને બીજી મૂર્તિઓ જે વર્ષે બે અષાઢ માસ હોય ત્યારે બદલે છે, તેને નવ કલેવર કહે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *અમુક પૂજારીઓનું કહેવું છે કે જ્યારે અમે તે બ્રહ્મ પદાર્થ હાથમાં લીધો તો સસલા જેવું કંઈક ઉછળે છે, પણ આંખો પર પટ્ટી બાંધેલ હોવાને લીધે અને હાથમાં ગ્લોવ્ઝ હોવાને કારણે માત્ર મહેસુસ કર્યું છે... આજે પણ દરવર્ષે રથયાત્રાના ઉપલક્ષ્યમાં પુરીના રાજા પોતે સોનાની સાવરણી થી ઝાડું લગાવવા આવે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *ભગવાન જગન્નાથજી ના મંદિરના સિંહદ્વારમાં પ્રથમ પગ મુકતાની સાથે જ સમુદ્રની લહેરોનો આવાઝ સંભળાતો બંધ થઈ જાય છે,પણ નવાઈની વાત એ છે કે જેવો પગ મંદિરની બહાર મુકો એટલે સમુદ્રનો આવાઝ આવવા લાગે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *તમે મોટેભાગે મંદિરોના શિખર ઉપર પક્ષીઓને બેસતા ઉડતા જોયા હશે, પરંતુ આજ સુધી જગન્નાથજી ના મંદિર શિખર ઉપરથી કોઈ પક્ષી પસાર થયું નથી કે નથી બેઠું,, મંદિરની ધ્વજા હંમેશા પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે....દિવસમાં કોઈપણ સમયે ભગવાન જગન્નાથજીના મંદિરનો જમીન પર પડછાયો નથી પડતો....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *ભગવાન જગન્નાથ મંદિર ના 45 માળના શિખર ઉપર સ્થિત ધ્વજા ને રોજ નિયમિત બદલવામાં આવે છે, એવી માન્યતા છે કે એક દિવસ પણ જો ધ્વજ બદલવામાં ના આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રાખવું પડે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *આવી જ રીતે ભગવાન જગન્નાથજી ના મંદિર ના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે, જેને દરેક દિશા પરથી જોતા તમને તમારી સામે જ દેખાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *ભગવાન જગન્નાથજી મંદિર ની રસોઈમાં પ્રસાદ બનાવવા માટે માટીના 7 વાસણ એકબીજા ની ઉપર રાખવામાં આવે છે, જેને લાકડાની આગમાં જ પકવવામાં આવે છે,આ દરમિયાન સૌથી ઉપર મુકેલા વાસણમાં પ્રથમ પ્રસાદ પાકીને તૈયાર થાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *ભગવાન જગન્નાથજી મંદિરમાં દરરોજ બનતો પ્રસાદ ભક્તોને માટે ક્યારેય ઓછો પડ્યો નથી, પરંતુ નવાઈની વાત એ છે કે જેવાં મંદિરના પટ બંધ થાય ઇવો પ્રસાદ પણ પૂરો થઈ જાય છે, આવી ઘણી ખરી આચ્છર્યજનક બાબતો છે આપણા સનાતન ધર્મની...સનાતન ધર્મની જય હો !* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *🚩 શ્રી ભગવાન જગન્નાથજી ની જય હો 🚩* *સનાતન ધર્મમાં ચારધામની યાત્રામાં રામેશ્વરમ અને કેદારેશ્વરની સાથે જગન્નાથપુરી અને દ્વારિકાપુરીનો સમાવેશ થાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴 *પ્રેમથી બોલો જય શ્રીકૃષ્ણ....*🙏🏻🙏🏻
Friday, April 8, 2022
નાના હતા અને ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા , સાંજે ક્રિકેટ , સતોડીયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો , રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ ... પંદર વીસ જણાના ટોળેટોળા ... ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ .. વચ્ચે 20 - 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ .. બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય .. ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી .. અને રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું .. આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી .. આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે .. આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી ... નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે .. એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય .. અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી .. મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી .. કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત ... શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા .. લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ ના હતી . માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું .. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી.... 😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘 ● દફતર લઈને દોડવું... ● તૂટેલી ચપ્પલ નું જોડવું... ● નાશ્તા ના ડબ્બાઓ... ● શર્ટ પર સહીના ધબ્બાઓ.. ● ખોબે ખોબે પીવાતું પાણી... ● રીસેસ ની વિશેષ ઉજાણી... ● બેફામ રમાતા પકડ દાવ... ● ઘૂંટણ એ પડતા આછા ઘાવ... ● બાયોં થી લુંછાતા ચેહરા... ● શેરીઓમાં અસંખ્ય ફેરાં... ● ઉતરાણ ની રાત જાગી... ● પકડાયલા પતંગ ની ભાગી... ● ભાડાં ની સાયકલ નાં ફેરાં... ● મહોલ્લાના ઓટલા પર ડેરા... ● મંજી ની રેલમ છેલ... ● ગીલ્લી ડંડા નો એ ખેલ... ● ચાર ઠીકડી ને આટા પાટા... ● લાઈટના થાંભલે ગામગપાટા... ● વરસાદે ભરપૂર પલળવું... ● ખુલ્લા પગે રખડવું... ● બોર આમલી નાં ચટાકા... ● પીઠ પર માસ્તર ના ફટાકા... ● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન... ● નાં ટ્યુશન નાં ટેન્શન... વાત સાચી લાગી કે નહિ મિત્રો... બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં... કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!🙏🙏🙏🙏🙏 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ✍✍ ankur 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Sunday, March 27, 2022
VERY TOUCHY... 🌹બા નો પલંગ ઝાટક્યો તો આંખમાં આંસુ આવી ગયા.🌹 આજે સવારે વહેલા ઓફિસ જઈ પહેલું કામ રાજીનામું લખી ને મારા સાહેબ ના ટેબલ ઉપર મૂકી દીધું.. અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો... હોસ્પિટલ પહોંચી સાહેબ ને ફોન કરી ફક્ત એટલું કીધું આજે હું ઓફિસે નહીં આવી શકું.. સાહેબ ની આદત મુજબ બોલ્યા: નીલેશ,હમણાં a હમણાં તારી રજાઓ બહુ પડે છે.. કામ મા ધ્યાન નથી, આવું લાંબુ કેમ ચાલસે?? મે ફક્ત એટલું જ કીધું: સાહેબ, તમારા ઉપર છોડી દઉં છું.. તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે.. કહી મોબાઈલ મે કટ કર્યો.. અને, મારી પત્ની કહે કોણ હતું?? સાહેબ મેં કીધું.. આ તું જોવે છે.. રોજ - રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે.. ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે.. મારા થી તો હાથ અધ્ધર ના થાય.. પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ ધીરે.. ધીરે.. બોલે છે: ઓફિસે જા બેટા, અહીં કહી કામ નથી.. પણ તેની લાચાર આંખ કહી રહી હતી.. બેટા અહીં બેસ સારૂ લાગે છે.. મેં કીધું: માઁ, હું અહીં જ છું.. તું ઓફિસ ની ચિન્તા ના કર.. માથે હાથ ફેરવી હું બોલ્યો: બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે.. હવે મારો વારો આવ્યો છે માઁ, તો હું કઈ રીતે તને છોડી ને જઈ શકું?? મારા મોબાઇલ મા રિંગ વાગી સાહેબ નો ફરી થી ફોન આવ્યો.. હું સમજી ગયો, સાહેબે રાજીનામું વાંચી લીધું લાગે છે.. યસ સર, મેં કીધું: સાહેબ બોલ્યા: નીલેશ તારું રાજીનામુ મૅનેજીગ ડિરેક્ટર ના ટેબલ ઉપર મૂક્યું છે.. તેઓ તને રૂબરૂ મળવા માંગે છે.. તો થોડો સમય કાઢી આવી શકીશ?? મેં કીધું: યસ સર.. પ્રયત્ન કરું છું.. મારી પત્ની એ કીધું: તમે જઈ આવો.. હું અહીં બેઠી છું.. હું ઓફિસે પોહચ્યો.. MD એ અંદર બોલાવ્યો.. આવ નીલેશ, તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું?? કોઈ સ્ટાફ, મેનજમેન્ટ.. તરફ થી તકલીફ?? તને ખબર છે હું જનરલી રાજીનામુ સ્વીકારી લઉ છું.. પણ તું અહીં વીસ વર્ષ થી એક નિષ્ઠા અને વફાદારી થી કામ કરે છે.. તો મારી પણ ફરજ બને છે કે હું રાજીનામુ પાસ કરતા પહેલા તારી લાગણી, અને તારી તકલીફ સમજી લઉ.. સર, પહેલા તો દિલ થી તમને વંદન.. એક ઉચ્ચ જગ્યાએ બેસી ને પણ આપ આવી નમ્રતા થી વાત કરી શકો છો.. હું સમજુ છું જે કંપની એ મને માન, સ્વમાન આપેલ છે તેની પ્રત્યે પણ મારી ફરજ છે.. પણ સર, આજે મારી માઁ હોસ્પિટલ મા છેલ્લા દીવસો ગણી રહી છે.. ડોક્ટરો એ આશા છોડી દીધી છે.. કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ, એટલી ખબર છે થોડા દિવસ ની મહેમાન છે.. આવા સંજોગો માં એક- એક દિવસ ની રજા માંગી - માંગી ને હું માનસિક અને નૈતિક રીત થાકી ગયો હતો.. નતો હું ઘર ની ફરજ બજાવી શકતો હતો, નતો ઓફિસ ની.. પિતાજી છે નહીં.. નાના પરિવાર ના ફાયદા સામે આ પણ એક વીક પોઇન્ટ છે.. અત્યારે હોસ્પિટલ ની જવાબદારી એકલા મારા માથે છે.. આપ જ બતાવો હું મારી માઁ ની છેલ્લી અપેક્ષાઓ થી ભરેલી આંખો સામે બહાનાં બતાવી ઓફિસ ની ફરજ કહી રીતે બજાવી શકું?? સાહેબ, મને માફ કરો.. હું એટલો લાગણીહીન નથી થઈ શકતો.. નોકરી તો હું બીજી ગોતી લઈશ.. પણ, આ મારી માઁ ના પ્રેમ નો બદલો આપવા તો હું સક્ષમ નથી.. પણ તેની છેલ્લી ક્ષણ માં થોડો તેને સમય જો હું આપી શકીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ.. નહીંતર આખી જીંદગી હું મારી જાત ને કદી માફ નહીં કરી શકું.. MD મારી લાગણી ભરેલા શબ્દો શાંતિ સાંભળતા હતા ત્યાંજ હોસ્પિટલે થી પત્ની નો મોબાઈલ આવ્યો.. મમ્મી ની તબિયત વધારે બગડી છે, તમને બહુ યાદ કરે છે.. જલ્દી આવો.. MD સમજી ગયા ચિંતા ના કર હું તારી સાથે આવું છું.. અમે હોસ્પિટલ પહોંચ્યા.. ડોક્ટરો ની દોડા દોડી વચ્ચે અમે ICU માં પહોંચ્યા.. મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું.. બોલવા ની તાકાત ન હતી.. હું બાજુ માં ગયો તે અંતિમ ક્ષણ મા પણ પોતાની છેલ્લી તાક્ત વાપરી બેઠી થઇ.. અને મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા.. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલ ના ICU નો સ્ટાફ ની પણ આંખો ભીની થઇ ગઇ.. મારા થી બોલાઈ ગયુ: માઁ નો પ્રેમ સમજવા માટે કેટલીયે જીંદગી ઓછી પડે.. મારા MD ની આંખ પણ ભીની થઇ ગઇ.. એ બોલ્યા: નીલેશ તું મહાન નહીં પણ નસીબદાર પણ છે.. મને પણ ખબર હતી મારી માઁ છેલ્લા દીવસો ની મહેમાન છે.. હું કંપની નો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો.. કદાચ મેં હિંમત કરી હોત તો મારી માઁ પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત.. ખેર, નસીબ- નસીબ ની વાત છે.. રજાઓ ની ચિંતા કરતો નહીં.. બધી ક્રિયા કાંડ કરી શાંતિ થી ઓફિસ જોઈન્ટ કરી દેજે.. કાઈં પણ કામ કાજ હોય તો કહેજે.. સાહેબ, મારી માઁ એ મારા ખભે જીવ છોડ્યો છે.. તે તૃપ્ત થઈ ગઈ છે.. કોઈ ક્રિયા કાંડ કે બેસણા ની જરૂર નથી.. જે લોકો ની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા.. હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી.. સાહેબ, હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે.. રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ હોય છે.. હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી.. હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું..!! Delete મારતા પહેલા એકવાર જરૂર વાંચો..🙏🏼🙏🙏
Saturday, March 19, 2022
એક કંપનીમાં બોસ દર મહિનાની પાંચ મી તારીખ ના એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતા અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી નું ડ્રો કરતાં એમાં જેનું નામ નીકળતું એને ૬ લાખ રૂપિયા બક્ષિસ રૂપે મળતાં. એ કંપનીમાં ઝાડું પોતા કરવાવાળી બાઇને આ રૂપિયાની બહું જરૂર હતી. કારણકે એનાં દિકરાનું ઓપરેશન કરાવવા નું હતું. પણ આ તો લોટરી હતી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને એક હજારનું નુકસાન થાય એમ હતું. છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે. બોસ ને એની દયા આવતી હતી. અને એ પણ ચાહતા હતા કે ઇનામ એને જ લાગે. એણે પોતાના નામની કાપલી પર પાેતાના નામને બદલે બાઈ નું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી. અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ બાઈ ને જ લાગે. આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને બોસ અને તમામ સ્ટાફ ની ધડકન વધી ગઇ. હવે કોનું નામ નીકળશે.? એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. બોસ ની આંખાે પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. ત્યારે બાઈ એ આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. બોસ અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને જસ્ટ જાણવા ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો, જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.
Saturday, March 12, 2022
#ચાંપાનેર_(#પાવાગઢ)#ઇતિહાસ 👉#-1 👉વિશ્વામિત્રની પાસે જે કામધેનુ ગાય હતી તે એક દિવસ ચાંપાનેરમાં ખાઈમાં પડી અને જે ખાઈમાંથી તે બહાર ના આવી શકતા તેણે પોતાના દૂધની રસધારથી સમગ્ર ખાઈ ભરી દીધી અને આ દૂધમાં તરીને બહાર નીકળી. અને ભગવાને વિશ્વામિત્રના કહેવાથી અહિયાં આ આખા ખાઈને પાણીથી ભરીને અહિયાં વિશ્વામિત્રી નદી બનાવી. 👉આ વિસ્તારનું નામ હકીકતમાં પાવક ગઢ હતું જેનું અપભ્રંશ થઈને બન્યું છે પાવાગઢ. 👉આ પાવાગઢ ઉપર સૌથી પહેલા નજર પડી કર્ણાવતીના સૌથી મોટા ક્રૂર બળાત્કારી અહમદ શાહએ આક્રમણ પછી કઈ ખાસ કરી શકાયું નહીં કેમકે ઇડરના રાજપૂતો-માળવાનો હોશંગ ગાઝી વગેરે સાથે યુદ્ધમાં વ્યસ્ત રહ્યો. 👉તેના પછી તેનો પુત્ર અને તેનો પુત્ર મહમુદ બેગડા સત્તા ઉપર આવ્યો જેણે "ફક્ત" ઈસ્લામિક ઝંડાના પચારાર્થે ચાંપાનેર ઉપર પોતાની કાળી નજર નાખી. 👉રાજપૂતોનો ત્યાં ત્રણ તબક્કામાં મોરચો તૈયાર હતો. જેમાં પ્રથમ હતો અટકનો કિલ્લો જ્યાં મેદીનું તળાવ આવેલું છે. જે આજે પણ જોવા મળે છે. 👉 બીજા તબક્કામાં થોડા ઉપર આવો એટલે મોહોતી નામનો દરવાજો છે અને ત્રીજો તબક્કો છે સદન શાહ દરવાજા. 👉 અહિયાં સાત મહલ વાળી ઊંચી ઇમારત પણ હતી જ્યાં રાણીઓ બેસીને જંગલમાં આખેટ કરતાં તેઓના રાજાઓને નિહાળતી. ત્યાં એક નગર હવેલી પણ હતી. અને આજે પણ ત્યાં જયસિંહ ( પતાઈના રાજાનો મહેલ છે જ્યાં રાણીઓએ જૌહર કર્યું હતું ). 👉 ચાંપાનેર તે સમયે કર્ણાવતી-સુરતની કક્ષાનું વ્યાપારી-સામાજિક દ્રષ્ટિએ વિકસિત નગર હતું. 👉 1482 માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને મહમુદ બેગડાની નજર ચાંપાનેર ઉપર પડી તેના સૈન્યએ હુમલો કર્યો અને ચાંપાનેરમાં હારીને કપાઈને પાછા ફર્યા. 👉 આ હારથી અકળાઇને મહમૂદ બેગડાએ ખૂબ મોટી સેના સાથે બરોડાથી આગળ ઘેરો ઘાલ્યો જ્યાં રાજપૂત રાજાઓએ તેની સાથે સંધિ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બેગડા માન્યો નહીં. 👉 પતાઈ રાજા જયસિંઘએ પણ લડાઈનો નિશ્ચય કરી લીધો. અને પોતાના દોસ્ત-સાથીદાર માળવાના ગ્યાસુદદીન જેને એક સમયે આ રાજપૂતોએ બચાવ્યો હતો તેને કહેણ મોકલ્યા. 👉 પણ આ ગ્યાસુદદીનની પાસે બેગડાએ ઈસ્લામિક કાજીને મોકલ્યો અને પાછો જવા મનાવી લીધો. ગ્યાસુદદીનએ ઈસ્લામિક કહેણ માટે મૈત્રીક ગદ્દારી કરી. 👉 રાજપૂતોને કિલ્લા તોડીને હરાવવા એ અશક્ય વાત હતી પણ રાજપૂતો રોજ સવારે પૂજાપાઠ કરવા કિલ્લો મૂકીને જતાં હતા તે વાતની ખબર બેગડાને ખબર પડી ગઈ. અને એણે કિલ્લા ઉપર કબજો જમાવ્યો. 👉 700 રાજપૂતોએ કેસરિયા કર્યા અને તેઓની રાણીઓ અને બાળકોએ જૌહર કર્યા અને બધાએ પોતાની કાયા કપાવી નાખી. 👉 રાજા જયસિંહ અને તેનો પરિવાર પકડાઈ ગયો સાથે તેનો સાથીદાર દુર્જનસિંહ પણ. 👉 6 મહિના સુધી રાજા અને તેના પરિવારને અત્યંત પ્રતાડના આપ્યા પછી પણ જ્યારે તેઓ ઇસ્લામ ના સ્વીકાર્યો. 👉 ત્યારે જયસિંહનું માથું કાપી નાખ્યું પણ તે જ સમયે મરતા મરતા જયસિંહના સાથીદાર તલવારથી બેગડાના કૌટુંબી શેખાન કબીરનું માથું વાઢતો ગયો. 👉 જયસિંઘના પરાક્રમ અને બલિદાનની કોઈ પ્રેરણા ના લે તે માટે બેગડા-કુત્તાએ જયસિંહએ માતા કાલીની છેડતી કરી હતી તેવી ગંદી વાર્તા પ્રચલિત કરી દીધી. પરંતુ આ વાર્તા-વાર્તા જ રહી જેને દરેક અંગ્રેજ અને ભારતના ઇતિહાસકારોએ જાકારો આપ્યો. 👉 જયસિંહ નાં પહેલા પૌત્ર એ છોટાઉદેપુર નગર વસાવ્યું જયારે. 👉 જયસિંહ નાં બીજા પૌત્ર એ દેવગઢ-બારિયા નગર વસાવ્યું. અને ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગણાતું નગર ચાંપાનેર ઉજ્જડ વેરાન ભેંકાર બની ગયું. 👉 250 વર્ષ પછી જ્યારે મરાઠા પેશ્વાઓ-મહાદજી સિંધિયા એ ગુજરાત કબજે કર્યું ત્યારે પાવગઢનું મંદિર ખોલાવ્યું. ત્યાં દાદરા બનાવ્યા. 👉 પાવગઢનું મંદિર ફરીથી કાલકા માતાજીનો ગઢ બન્યો. 👉 પટેલો-જૈનો-વણકર-રાજપૂતો-બ્રાહ્મણો બધાની શ્રધ્ધા આજે પાવાગઢમાં એટલી છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. 👉 પાવાગઢ જાઓ ત્યારે મહેરબાની કરીને આ રાજપૂત શૌર્ય-બલિદાનના ઇતિહાસને પણ યાદ કરીને તેને નમન કરવાનું ભૂલતા નહીં.🙏 🙏🙏
Saturday, February 26, 2022
Subscribe to:
Comments (Atom)
આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ
*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આ...
-
Skip to content ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ...
-
તા. ૧-૦૯-૨૦૨૦ પાલનપુર આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સંવત ૨૦૨૯ ભાદરવા સુદ પાંચમ ને બુધવાર વર્ષ...
-
*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આ...