Wednesday, January 3, 2024

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ*


સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો.

પણ...ત્યાં જ એના કાનમાં દૂર-દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે, ને એ રડે છે, કણસે છે. એટલે નક્કી એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર-દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે, ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે. એ જેમ-જેમ નીકળવાની કોશિશ કરે છે, એમ-એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે, અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જઉં તો, ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ જે મળવાનો છે, એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી! પણ...*ફલેમિંગના મનમાં દયા હતી.* દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું.

ખેડૂત ફલેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો, ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ને ખવડાવ્યું. બાળક શાંત થયો. 


 ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી. એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફલેમિંગ કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને *"પપ્પા! પપ્પા!*” કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં. એમણે દિકરાને તેડી લીધો, ને.. આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી.

ફલેમિંગ ખેડૂત હતો. એ ધનાઢય નો’તો, પણ...દિલની અમીરાઈ હતી એની પાસે!


ખેડૂત ફલેમિંગ બોલ્યો, “સર! સત્કાર્યનો ચાર્જ ન હોય, સત્કાર્ય તો ચાર્જર છે. જે આપણા નસીબને ચાર્જ કરી દે છે.’’ ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો, ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, “તો તમારે મારી એક વાત માનવી પડશે. તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. એને જેટલું ભણવું હોય, ને જ્યાં જઈ ભણવું હોય, સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ.”

ખેડૂત ફલેમિંગ આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો’તો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત, મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો. એનું વિશ્વપ્રસિધ્ધ નામ, *"એલેક્ઝાન્ડર ફલેમિંગ."*


એણે ઘણા સંશોધન કાર્યો કર્યા. ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા અને એક દિવસ ઈતિહાસ રચાયો. એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ગંભીર માંદગીમાં પટકાયો. એના બચવાની તકો ખૂબ ઓછી હતી. એ જ અરસામાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે *'Penicillin'* (પેનિસિલિન) ની શોધ કરી, જે આ બિમારી સામે અક્સીર દવા સાબિત થઈ, જે આજેય જગ વિખ્યાત છે.


એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે, આ દવાના શોધનાર સર એલેક્ઝાન્ડર ફલેમિંગ આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા, અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે, ત્યારે તેઓ ગદગદ બની ગયા.

અને જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને સર એલેક્ઝાન્ડર ફલેમિંગ ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ લાગણીભીના બની ગયા. ખેડૂત ફલેમિંગ કહે, "મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો." ધનાઢ્ય પરિવાર કહે, "મારા દિકરાને તમે બચાવ્યો." અને આ ગંભીર બિમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે, *સર વિન્સ્ટન ચર્ચિલ!*


જમીન...વાવેલા દાણા પાછા આપે કે ન આપે, બેંક...મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ...કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે આપે ને આપે જ! સમય પાકતા ને વખત આવતા, અને તેય અનેકગણા થઈને!


*એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય*

*ક્યારેય નિષ્ફળ જતું નથી.*✍🏻✅

Wednesday, December 13, 2023

અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન Befo2020

 અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન.*


ઉ.વ.78

        

1. પત્નિ અને પુત્રી ક્રિસમસ ટ્રી

   ખરીદવા જતાં રોડઅકસ્માતમાં

    મૃત્યુ પામ્યા. 

2. એક પુત્ર બ્રેઇન કેન્સરથી મૃત્યુ

     પામ્યો. 

3. બીજા પુત્રને ડ્રગ્સ ના વ્યસનના 

   કારણે નેવીમાંથી હાંકી કાઢવામાં 

    આવ્યો. 

4. બાઇડેન પોતે પણ સ્નાયુના

    લકવાની બીમારીનો (facial

    palsy) સામનો કરી ચુકયા છે. 

    તેમાંથી પસાર થઇ ચુકયા છે!!!!!          


 જીવનની આટલી વિપરીત પરિસ્થિતિ હોવાછતાં આ માણસ ૭૮ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા. 


તેઓ શારીરિક તેમજ માનસિક રીતે આટલી મોટી જવાબદારી નિભાવવા સક્ષમ છે.


         જ્યારે આપણે ૬૦ની ઉંમરે એવું માનીએ છીએ કે, "હવે બધું જ પુરું થઇ ગયું. હવે આપણાથી કાંઇ થાય નહી." જે બિલકુલ યોગ્ય નથી. 


        બધા સિનીયર સિટીઝનોએ બાઇડેનનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને નવી શરુઆત કરવાની છે.


 તમે હજુપણ યુવાન છો. તેથી તમે જીવનમાં હજુ સુધી જે કરી શક્યા નથી તે કરવા, શીખી શકયા નથી તે શીખવા, જાણી શકયા નથી તે અંગે જાણવા અને મેળવી શક્યા નથી તે મેળવવા તન-મનથી પ્રયત્ન કરો.


Friday, November 3, 2023

"ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"

  "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"


 એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડો દિવસ ઉઠ્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.


શું થયું?


વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર  એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું?  કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડવાની હતી.


આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું "હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો.


આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.


કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.


કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.


બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું, 

કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે...🙏🙏

Wednesday, September 20, 2023

આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સંવત ૨૦૨૯ ભાદરવા સુદ પાંચમ ને બુધવાર વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


તા. ૧-૦૯-૨૦૨૦

પાલનપુર


            આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની

જીવાદોરી  સમાન દાંતીવાડા   ડેમ સંવત  ૨૦૨૯ 

ભાદરવા  સુદ પાંચમ ને  બુધવાર  વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


વર્ષ ૧૯૬૫ માં દાંતીવાડા ડેમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું. અને વર્ષ ૧૯૭૩ માં ડેમમાં ગાબડું પડતાં  તુટ્યો હતો,  

આજનું દાંતીવાડા ગામ એ મુળ દાંતીવાડા નથી, પરંતુ  દાંતીવાડા ગામનું સ્થળાંતર કરીને તેને બીજે એટલે  કે ડેમથી ઉતર  દિશામાં  થોડેક દુર ફરી વસાવવામાં આવ્યું છે. 

 

ઘણા વર્ષો પછી આવું ચોમાસું જામ્યું છે. અત્યારે ભાદરવામાં વરસાદની હેલી થૈઈ રહી છે તેમ,  તે  સમયે જ્યારે દાંતીવાડા ડેમ તુટ્યો ત્યારે ભાદરવા માસની સુદ પાંચમ ને બુધવાર હતો. 


તે દિવસે ગુજરાત અને પુરા રાજસ્થાનમા  છેલ્લા પાંચ દિવસથી  વરસાદ મન મુકીને વરસતો હતો. એમ કહો કે ભાદરવાની હેલીના દિવસો હતા.  ભાદરવામાં જો મેઘ ☁️ વરસે તો અનરાધાર વરસે અને જો ના વરસે તો વરસાદ નું એક ટીપું પણ પડતું નથી. 


 કાળ ના ચક્રને કોણ ઓળખી શક્યું છે,  કે કોને  ખબર કે કાલે શું થવાનું છે. ઉપરવાસમાં વરસાદ ધીરે ધીરે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો. બાલારામ અને બનાસ નદી જાણે નશામાં ધૂત હોય તેમ ગાંડીતુર બનીને  બેઉં કાંઠે દરિયાની જેમ ઘુઘવતી વહી રહી હતી. નદીના પુરના પાણી નો

અવાજ સાંભળીને  કાંઠા વિસ્તાર ઉપર આવેલા ગામડાના લોકોના જીવ અધ્ધર કરી રહ્યા હતા.  પુરના પાણીની ભયંકર હોમ વાગી રહી હતી. ઉપર આકાશમાં ઘનઘોર કાળાં ડીબાંગ વાદળો જાણે

પ્રથ્વીના પ્રલયની તૈયારી કરતાં હોય તેમ મેઘની

સવારી સાથે જોડાયાં હતાં. 

દાંતીવાડા ડેમ પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બાજ નજર ડેમમાં આવતા અવિરત પાણીની આવક જોઈને ઘડી ઘડી જળ ડેમની સપાટી નોંધતા હતા.  ડેમની સપાટી પુર ઝડપે વધી રહી હતી. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૦ ફુટને આંબી ગઇ. હવે કોઈ પણ સંજોગોમાં

ડેમના દરવાજા ખોલવા જરુરી હતા. ફરજ પરના અધિકારીઓએ સંદેશો મોકલ્યો કે,  ડેમમાં પાણીની સપાટી સતત ભયજનક રીતે વધી રહી છે. જેથી અગમચેતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવા મંજુરી આપવામાં આવી. 

સ્થળપર ફરજ બજાવતા ઈજનોરેને ક્યાં ખબર હતી કે છેલ્લા આઠ વર્ષથી ડેમના બંધ દરવાજા ઓને કાટ લાગી ગયો હતો. ઈજનેરોની એક ટૂકડી

બંધ દરવાજા ખોલવા મહા મહેનત કરી હતી. આ

બાજું ક્લેક્ટરશ્રી દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું કે,  દાંતીવાડા ડેમ માં પાણીની સપાટી સતત ભયજનક રીતે  ઝડપથી વધી રહી છે જેથી

દરવાજા ખોલવાના હોઈ કાંઠા વિસ્તારના લોકોએ સાવધાન રહેવું અને નદી તરફ ના જવું.


એ સમયે સંદેશાના સાધનો ન હતાં. મોટાભાગના

સંદેશા વાયરલેસ મારફતે પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ પોઈન્ટ પર આપવામાં આવતા. અને મામલતદાર શ્રી જેતે નદી કાંઠે આવેલ ગામના તલાટીઓને ખાસ પટાવાળા મારફતે જાણ કરવામાં આવતી.

એથી વિશેષ કોઈ સગવડ ન હતી.

જોતજોતામાં દિવસના બાર વાગવા આવ્યા હતા.  કુશળ ઈજનોરોની આજે અગ્ની પરીક્ષા હતી. આમેય ડેમના દરવાજા ઓનું મેઈન્ટેઈનસ કામ ખુબ બારીકાઈથી કરવામાં આવે છે.  કારણ કે ડેમના દરવાજા મજબુત પોલાદના શક્તિશાળી અને વજનદાર હોય છે. એક દરવાજાનું  સરેરાશ વજન આશરે ૫૬ ટન જેટલું હોય છે. દાંતીવાડા ડેમ ૬૬૦૦ ફુટની લંબાઈમાં છે જેમાં ૧૦૭૩ ફુટ

પાકો બનાવવામાં આવેલ છે. બાકીનો કાચો માટીનો છે. જેની ચારેબાજુ આશરે ૧૬ કીમી ના અંતરમાં પથરાયેલો છે.


ડેમના દરવાજા ખોલવાની ચાર સિસ્ટમ ગોઠવેલી હોય છે.

૧)  ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માં પ્રત્યેક દરવાજા પાસે ૧૦ હોર્સ પાવર્સની ઇલેક્ટ્રિક મોટર ગોઠવેલી હોય છે.જેનુ સંચાલન કંટ્રોલ કેબીનથી થાય છે.


૨) કદાચ અચાનક લાઈટ નો કોઈ ફોલ્ટ થાય તો

૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી ડીઝલ જનરેટો

લગાવેલા હોય છે.


૩) લાઈટ ના હોય, અને જનરેટર પણ એકાએક બંધ થઈ ગયાં હોય અને દરવાજા ખોલવાના ની

નોબત આવી પડે તો ત્રીજા વિકલ્પ રૂપે  પ્રત્યેક દરવાજે ૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી  ડીઝલ એન્જિન લગાવેલા હોય છે.  જે હાથવડે હેન્ડલ મારીને ચાલું કરવામાં આવે છે.


૩) જ્યારે ત્રણેય વિકલ્પ માં કોઈ સફળતા ના મળે ત્યારે ચોથો વિકલ્પ માત્ર આશ્વાસન રૂપે જ  હોય છે.  કારણકે જ્યારે કુદરત રૂઠે છે ત્યારે બધાજ પ્રયત્ન નિષ્ફળ જાય છે. 


ચોથા વિકલ્પ માં આ મુજબ પોલાદી દરવાજા ખોલવા માટે હાથ વડે હેન્ડલ મારીને દરવાજાને

ઉપર ખેંચવા પ્રયત્ન કરવામાં આવે છે.પરતુ સતત

એક કલાક સુધી હાથવડે હેન્ડલ મારવામાં આવે ત્યારે માત્ર એક ફુટ દરવાજો ખુલે છે. 


આમ એક બાજુ ઈજનોરોની ટૂકડી ડેમના બંધ દરવાજા ખોલવામાં વ્યસ્ત હતી તો બીજી તરફ  રાજસ્થાનનના માઉન્ટ આબુ અને  આજુબાજુના

વિસ્તારમાં  ચૌદ ચૌદ ઈંચ જેટલો ભયાનક વરસાદ 

ત્રાટકી રહ્યો હતો. પાણીની સપાટી હવે ભયજનક રીતે તેનું લેવલ વટાવી રહી હતી.  જોતજોતામાં પાણી ડેમના દરજાની ટોચ પર આવી ગયું.પાણીની આવક સતત અને ઝડપથી વધી રહી હતી. બધાં ના શ્વાસ અધ્ધર હતા. હવે  બચવા માટે કુદરત સિવાય કોઈ વિકલ્પ ના હતો.  ઉપર કાળાં ડીબાંગ વાદળોનો અંધકાર અને નીચે ચારેબાજુ પાણી જ પાણી હતું. 

આ બાજું ફરી સાયર વાગી.

લોકો માં અફવા ફેલાઈ કે ડેમ તુટી રહ્યો છે. ભાગો ભાગો. લોકો તેમનો જીવ બચાવવા પશુઓને ખીલે

રેઢાં મુકીને ગામ છોડીને સ્થળાંતર કરી રહ્યા હતા.

સાથે જેટલી લૈઈ શકાય તેટલી ઘરવખરીનાં પોટકા બાંધીને બાળકોને સાથે ગામ છોડી રહ્યાં હતાં. 

નાંદોત્રા બ્રા વાસ, નાંદોત્રા ઠા.વાસ, શિકરીયા, લટીયા, વાછડા, રાણપુર, ભડથ, અને તેની આજુબાજુના લોકો ભયનાં માર્યાં સલામત સ્થળે

આશરો લેવા નીકળી પડ્યા. 

આજનો દિવસ જાણે ગોઝારો ઉગ્યો હતો. ના ભુલી શકાય એવી અને હદયને હચમચાવી મૂકે એવી કરુણ  ઘટના હતી. હજારો લોકોની માનવ મેદની માથે ઘરવખરીનો સામાન અને  ,કેડમાં ધાવતા નાનાં બાળકો સાથે ઘરબાર છોડી રહ્યાં હતાં. કોઈ સગર્ભા બહેનો તો કોઈ ઘરડાં વ્રુધ્ધ માતાઓ લાકડીના સહારે તો કોઈ નાનાં બાળકોને આંગળી એ વળગાડીને ઝડપથી  ચાલતાં હતાં. 

આંગળીએ વળગાડેલા  નાનાં નાનાં બાળકોનો કાફલો જોઈને ભલભલાના કાળજાં ચિરાઈ જાય એવા એ કરૂણ દ્રશ્યો હતાં. લોકો આજે ઉતાવળે

ડગ ભરતા હતા.ચારેબાજુ  બધેજ કોલાહલ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. 

     સમય હતો ૩૧ સપ્ટેમ્બર બપોરનો.  કુશળ ઈજનોરેની મહામહેનતે આખરે ડેમના એક પછી એક દરવાજા ખોલવામાં આવ્યા. કાનના પડદા ફાટી જાય તેવો વિકરાળ અવાજ આવતો હતો.  પાણીનો પ્રવાહ ધોધમાર વહેતો હતો. પરંતુ વિધિનું નિર્માણ કાંઈક જુદું લખાયેલું હતું. ઉપરવાસમાં વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો.આજે જાણે બારેમેઘ ખાંગા થયા હોય અને ઉપર આભ ફાટ્યું હોય તેમ સાબેલાની ધારે વરસાદ વરસી રહ્યો હતો

ડેમના દરવાજામાંથી પાણી પુર ઝડપે બહાર નીકળી રહ્યું હોવા છતાં પાણીની સપાટી નીચી આવતી ન હતી. કારણ માત્ર એટલું જ કે ડેમના દરવાજા માંથી પ્રાણીની જે નીકાસ થતી હતી એના કરતાં પાણીની આવકનું પ્રમાણ ખુબ વધું હતું. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૪ ફુટની ઉંચાઈએ આંબી ગઈ ત્યારે કહેવાય છે કે  ડેમનુ પાણી ઇકબાલગઢ ના ગોદરે આવીને ઊભાં હતાં.


કહેવાય છે કે,  કુદરત જ્યારે હાથ અધ્ધર કરી દે છે એટલે કોઈપણ મનુષ્ય નું પ્રારંબ્ધ કામ આવતું નથી, પછી ભલેને એ સત્પુરુષ કેમ ના હોય. સુકાની સાથે લીલાં ને પણ આખરે બળવું પડે છે.

ત્યાંતો કુદરતે એનો ખેલ પાર પાડ્યો. 

રામનગરથીઆગળ પાણીની સપાટી વધતાં વધતાં રણાવાસ ગામની ચારેબાજુ ડેમનાં પાણીએ ભરડો લીધો ને તેનું પ્રેસર ડેમની કાચી માટીના પાળા ઉપર આવ્યું. આ માટીના પાળામા એક નાનું છીદ્ર પડ્યું

જે જોતજોતામાં મોટુ ગાબડું બન્યું.. અને બરાબર રાત્રી ના નવ વાગ્યા હશે, અને ચેતવણીની પહેલી શાયરન વાગી. * દાંતીવાડા ડેમ તુટ્યો* 

પણ ત્યાં સુધી તો મોટા ભાગના લોકોને જેતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એ સમયે વાહન વ્યવહાર ઓછો હતો. લોકો મોટે ભાગે પાળા ચાલતા હતા. વળી સંદેશા વ્યવહારના ખુબ

ઓછાં સાધનો હતાં. કોઈ ભાગ્યશાળી ને ઘેર

રેડીયો હતો. આકાશવાણી અમદાવાદ ઉપરથી

સતત દાંતીવાડા ડેમ ના સમાચાર પ્રસારિત થતા હતા. વળી ઘણા લોકો આરામથી નીદ્રા લેતા હતાં.

ગોઢ ગામ ઊચાઈ ઉપર આવેલ ગામ હતું એટલે લોકો ભયમુક્ત હતા. છતાપણ કેટલાંય કુટુંબોએ

ગામ છોડીને પોતપોતાના સગાં ને ત્યાં ગયા હતા તો કોઈ ઘર અને ઢોરઢાંખર સાચવવા ઘેરજ રહ્યાં હતાં. રાત્રિના ના બરાબર બાર વાગ્યા હતા. 


 ડેમના અધિકારી ઓનો ગાબડાની જાણ થૈઈ પણ

કુદરતના  પંચતત્વો આગળ મનુષ્ય હારતો આવ્યો છે.  આખરે બન્યું પણ એવું. જોતજોતામાં ગાબડું ત્રણસો   ફુટથી  વધી ને એક  હજાર  ફુટનું  પહોળું ગાબડું  પ્રલય વમાટે પુરતું હતું.   ડેમનાં  ધસમસતાં પાણીનાં પુરે અધિકારીઓની કોરી આંખોને આજે ભીજવી દિધી.   ઘણી વખત માણસ પાસે ઘણું બધું હોવા છતાં કુદરતની આગળ લાચાર અને નિઃસહાય નજરે જોઈ રહે છે. 


તા ૧ સપ્ટેમ્બર ને ગુરૂવારની વહેલી પરોઢે કુદરતે એની લીલા પ્રુથ્વી વાસીઓને બતાવી દીધી.. ચારેબાજુ તારાજી બસ તારાજી.દાતીવાડા  ડેમનાં ધસમસતાં પાણીના પ્રવાહને કારણે જાણે બનાસે

એનો મારગ બદલ્યો હોય તેમ ઊડી ખીણોની જેમ

મોટા વિશાળ વાઘા કોતરો પડી ગઈ. હજારો નહીં પણ લાખો ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ અને ગધેડા જેવાં મુંગા અને નિર્દોષ પશુઓ ડેમના પુરના પાણીમાં તણાયા.કોઈ પાણીના પ્રવાહમાં ગુંગળાઈ ને મરણ પામ્યા તો કોઈ બાવળોની ઝાડીમાં ભરાઈ પડ્યાં. કાનના પરદા ફાડી નાખે તેવી  ચીસાચીસ અને રો કકળ થેઈ. ઘડીક ના છઠ્ઠા ભાગમાં આ બધો ખેલ પડી ગયો અને શાન્ત પણ  થૈઈ ગયું. કહેવાય છે કે જ્યારે ક્રોધ અને વાવાઝોડું, શાન્ત પડે છે ત્યારે ખબર પડે છે કે કોને કેટલું નુકશાન થયું. 

બનાસ નદી છેલ્લે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.  બનાસકાંઠાના કાકરેજ, સમી, રાધનપુર, અને વારાહી તાલુકાના દુરના ગામડાઓને આ પુરના પાણી એ  ઘણું નુકશાન કર્યું. એ લોકોને ખબર પણ ન હતી કે, દાંતીવાડા ડેમ માં ગાબડું પડ્યું છે એટલે ડેમ તુટ્યો છે એની એમને ખબર નહતી એટલે એ લોકો મીઠી નીંદર માણતા હતા ત્યારે ઓચિંતા બનાસના પુર ફરી વળ્યાં ત્યારે એકાએક રોકકળ અને કુકવા થયા હતા.એક બીન સત્તાવાર અહેવાલ મુજબ આ પુરમાં હજારો સ્ત્રી પુરુષ અને બાળકો નો ભોગ લેવાયો હતો અને મુંગા પશુઓ તણાયા હતા.


આ હતી દાંતીવાડા ડેમ તુટ્યા ની કરૂણ ઘટના. ઈતિહાસ મા આજનો દિવસ દાંતીવાડા ની પ્રજા માટે ગોજારો દિવસ કહેવાય છે. 

🙏🙏🙏🙏🙏

Monday, August 7, 2023

પેરાસીટામોલ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે

 

  • પેરાસીટામોલ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે
  • કેન્સર અને કિડનની દવા સાથે ક્યારેય ન લેવી જોઈએ
  • આલ્કોહોલ પીતા વ્યક્તિએ પેરાસીટામોલ ન ખાવી જોઈએ
આ આધુનિક યુગમાં તમામ લોકો એડવાન્સ થઈ ગયા છે.જેમાં કેટલીક વખત પોતાની જ હોશિયારી પોતાને ભારે પડતી હોય છે. તમે ખ્યાલ જ હશે કે જ્યારે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય અથવા તો સામાન્ય બિમારી થાય તો પોતે જ ડોક્ટર બનીને પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે.

પરંતુ આ કેટલીક વખત ખતરનાક સાબિત થઈ શકે છે. શરદી, ઉધરસ અને તાવમાં આપણે વિચાર્યા વગર તરત જ પેરાસીટામોલ ખરીદીને ખાઈએ છીએ. ઘણી વખત આપણે વિવિધ પ્રકારની દવાઓ લેતા હોઈએ છીએ અને તેની સાથે પેરાસીટામોલ પણ લઈએ છીએ. પણ શું આ કરવું યોગ્ય છે ? કેટલીક દવાઓ એવી છે જેની સાથે પેરાસિટામોલ ભૂલથી પણ ન લેવી જોઈએ. કારણ કે જો તમે તે દવાઓ સાથે પેરાસિટામોલ લો છો તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. આ ખૂબ જ ખતરનાક બની શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ દવાઓ સાથે તમે પેરાસીટામોલ ન લેવી જોઈએ

પેરાસીટામોલ શેની સાથે ન લેવી જોઈએ?

બધી દવાઓની પોતાની રચના હોય છે. એટલે કે જો તમે બે પ્રકારની રચના દવાઓ એકસાથે લો છો તો તે શરીરમાં ઘણી પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. તેથી જો તમે Paracetamol લઈ રહ્યા છો. તો તેની સાથે આ દવાઓ લેવાની ભૂલ ન કરતા. તેમાંથી બુસલ્ફાન (busulfan) છે જે કેન્સરની સારવાર કરે છે. કાર્બામાઝેપિન (carbamazepine) નો ઉપયોગ એપીલેપ્સીની સારવાર માટે થાય છે. કોલેસ્ટેરામાઇન (colestyramine) નો ઉપયોગ પ્રાથમિક પિત્તરસ સંબંધી સિરોસિસની સારવાર માટે થાય છે. ત્યાં ડોમ્પરીડોન (domperidone) છે જે ઉલટીમાં રાહત આપે છે. મેટોક્લોપ્રામાઇડ (metoclopramide) છે જે અપચો સહિત આવી ઘણી બિમારીઓની સારવાર કરે છે. આની સાથે બીજી ઘણી દવાઓ પણ છે. એટલા માટે જ્યારે પણ તમે બે દવાઓ ખાઓ ત્યારે તમારા ડૉક્ટરની સલાહ લો.


આ લોકોએ પેરાસીટામોલ પણ ન ખાવી જોઈએ

તમે જાણી ગયા છો કે પેરાસીટામોલ કઈ દવાઓ સાથે ન લેવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કયા લોકોએ પેરાસીટામોલ ન ખાવી જોઈએ? તમને જણાવી દઈએ કે પેરાસીટામોલનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. ખાસ કરીને એવા લોકો માટે કે જેમને લીવર અથવા કિડની સંબંધિત બીમારીઓ છે. આ સાથે જો તમે આલ્કોહોલ પીતા હોવ તો પણ તમારે પેરાસીટામોલનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક અથવા ડૉક્ટરની સલાહ પર કરવો જોઈએ. 2 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ડૉક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન આપવી જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે 24 કલાકની અંદર પેરાસીટામોલના 4 થી વધુ ડોઝ ક્યારેય ન લેવા જોઈએ. કારણ કે તે તમારા માટે ખતરનાક બની શકે છે.



Wednesday, July 19, 2023

પર્સનલ લોનના ચક્કરમાં ફસાઈ ગયા છો? કરજના દલદલમાંથી બહાર નીકળવા RBI નો નવો નિયમ કરશે મદદ Personal Loan Tips: RBI દ્વારા હાલમાં જ સર્ક્યુલર જાહેર કરીને બેંકોને કહ્યું છે કે તેઓ વિલફુલ ડિફોલ્ટર સાથે સેટલમેન્ટ કરે અને 12 મહિના બાદ તે વ્યક્તિને જરુરિયાત હોય તો ફરીથી લોન પણ આપે. ગ્રાહકો થોડી આર્થિક સૂઝબૂઝ વાપરીને લોનના દલદલમાંથી હંમેશા માટે નીકળી શકે છે. પર્સનલ લોનના દલદલમાં ફસાઈ ગયા છો? RBI દેવદૂત બન્યું છે તમે પણ ફાયદો લઈ લો 1 લોનના ભાર હેઠળ દબાઈ ગયા છો? લોનના ભાર હેઠળ દબાઈ ગયા છો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક સર્ક્યુલર જાહેર કરીને બેંકોને વિલફુલ ડિફોલ્ટર સાથે લોનની પતાવટ કરવા અને જરૂર પડ્યે 12 મહિના બાદ તે વ્યક્તિને ફરીથી લોન આપવા જણાવ્યું છે. જો કે આરબીઆઇના આ નિર્ણયનો વિરોધ થયો હતો, જેના પર આરબીઆઇએ કહ્યું કે સમાધાન કોઇ નવી પ્રક્રિયા નથી. જો કે આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને મોટી રાહત મળશે, જે સેટલમેન્ટ બાદ ફરીથી લોન મેળવવા માટે બેંકોમાં ભટકતા હતા અને લોન મેળવી શક્યા ન હતા. જો તમે કોઇ કારણસર પર્સનલ લોનની રકમ ચૂકવી ન શકો તો ચિંતા ન કરશો. એવી ઘણી રીતો છે, જેમાં તમે લોનની જાળમાંથી બહાર નીકળી શકો છો. 2 બે પ્રકારના હોય છે લોન બે પ્રકારના હોય છે લોન સિક્યોર્ડ- આ લોનમાં બેંક અથવા નાણાંકીય સંસ્થા લોનના બદલામાં મિલકત અથવા સંપત્તિના કાગળો ગીરવે મૂકે છે. લોન લેનાર લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય અથવા કોઈ કારણસર લોન લેનારનું મૃત્યુ થઈ જાય, તો બેન્ક ગીરવે મૂકેલી મિલકત વેચીને તેના નાણાં મેળવી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 6.5 ટકાથી 10 ટકા સુધી હોઈ શકે છે. આવી લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન વગેરેનો સમાવેશ થાય છે. 3 આ મુશ્કેલી સર્જી શકે આ મુશ્કેલી સર્જી શકે અનસિક્યોર્ડ- આ પ્રકારમાં લોન લેનાર વ્યક્તિના ક્રેડિટ સ્કોર, પગાર અથવા બેંક સાથેના સંબંધના આધારે બેંક અથવા ફાઇનાન્સિયલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. લોન ન ચૂકવવાના કિસ્સામાં અથવા લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક ગેરેન્ટર પાસેથી લોનની રકમ વસૂલ કરી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 10%થી 20% અથવા તેનાથી વધુ હોઈ શકે છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન વગેરે અનસિક્યોર્ડ લોન છે. 4 સાઇન નહીં તો ગેરેન્ટર નહીં સાઇન નહીં તો ગેરેન્ટર નહીં જો તમે લોન ન લીધી હોય, પરંતુ કોઈ બેંક કે નાણાકીય સંસ્થાનો એજન્ટ તમને ફોન કરીને કહે છે કે તમારા કોઈ મિત્ર કે પરિચિતે લોન લીધી છે અને તમે તેમાં ગેરેન્ટર છો. તમારો મિત્ર લોન ભરપાઈ કરી રહ્યો નથી અને હવે તમારે લોન ભરપાઈ કરવી પડશે. આવી સ્થિતિમાં એજન્ટને પૂછો કે શું ગેરંટી પેપર પર મારી સહી છે? જો તમારી સહી ન હોય તો તમે તે લોનમાં ગેરેન્ટર નથી અને તેથી તમારે કોઇ લોન ચૂકવવાની રહેતી નથી. 5 CIBIL સ્કોર CIBIL સ્કોર તે ત્રણ અંકની સંખ્યા છે, જે 300થી 900ની વચ્ચે હોય છે. આ સંખ્યા જેટલી વધારે હશે તેટલી ક્રેડિટ સ્કોર સારો રહેશે અને લોન મળવાની શક્યતા પણ એટલી જ વધી જશે. સાથે જ બેંક તરફથી કોઈપણ પ્રકારના લોન ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સાથે જોડાયેલા રેકોર્ડના રિપોર્ટને ક્રેડિટ રિપોર્ટ કહેવામાં આવે છે. 500થી ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને બેન્કો લોન આપતી નથી. 6 આ રીતે ચેક કરો સિબિલ સ્કોર આ રીતે ચેક કરો સિબિલ સ્કોર તમે સિબિલ cibil.com વેબસાઇટ પર સિબિલ સ્કોર ચકાસી શકો છો. આ સિવાય તમે ઇક્વિફેક્સ, ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપીરિયન અને સીઆરઆઇએફ હાઇમાર્ક, પેટીએમ, બજાજ ફિનસર્વ, બેંક બજાર, પૈસા બજાર વગેરે જેવા પ્લેટફોર્મ પર પણ સિબિલ સ્કોર ચકાસી શકો છો. 7 બેંક સાથે કરો વાત બેંક સાથે કરો વાત જો તમે કોઇ કારણસર લોન ચૂકવવાની સ્થિતિમાં નથી તો તમે તમારી બેંક સાથે વાતચીત કરી શકો છો. જોકે, બેંકો પોતાના નિયમો પર કામ કરે છે. 8 સમય માંગો સમય માંગો લોન ઈએમઆઈ ન ભરવાના કિસ્સામાં બેન્કને ઈ-મેઈલ કરો અથવા શક્ય હોય તો જે બ્રાન્ચમાંથી લોન લીધી હોય ત્યાં જઈને લોન વિભાગના અધિકારીને મળો. બેંક સાથે તમારી સ્થિતિ વિશે વાત કરીને તમે થોડા સમય માટે ઈએમઆઈથી રાહત મેળવી શકો છો. તમારી પરિસ્થિતિના આધારે બેંક નક્કી કરે છે કે તે તમને સમય આપવો કે નહીં. 9 લોન રીસ્ટ્રક્ચર કરાવો લોન રીસ્ટ્રક્ચર કરાવો જો તમારી પાસે ઈએમઆઈ ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. તો પછી તમે બેંક સાથે વાત કરીને લોનને રીસ્ટ્રક્ચર પણ કરી શકો છો. આમાં લોનની ઈએમઆઈ ઘટે છે પરંતુ લોનની ચુકવણીનો સમયગાળો વધી જાય છે. 10 બેલેન્સ ટ્રાન્સફર કરાવો બેલેન્સ ટ્રાન્સફર કરાવો ઘણી બેંકો લોનની રકમમાં બેલેન્સ ટ્રાન્સફર (BT)ની સુવિધા પણ આપે છે. આવી સ્થિતિમાં બેંકો લોનના રૂપમાં વધુ પૈસા આપે છે. તેનાથી જૂની લોન ખતમ થઈ જાય છે અને નવી લોન શરૂ થાય છે. ઉપરાંત લોન લેનાર વ્યક્તિને વધુ પૈસા મળે છે, જેનો ઉપયોગ તે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરી શકે છે. એવી પણ ઘણી બેંકો છે જે જૂની બેંક કરતા ઓછા વ્યાજ દરે લોન આપે છે. 11 લોન સેટલમેન્ટ કરાવો લોન સેટલમેન્ટ કરાવો જો કોઈ વ્યક્તિ બેંક તરફથી વારંવાર કોલ કર્યા પછી પણ ઈએમઆઈ નથી ચૂકવી રહી તો બેંક સમાધાન માટે કહી શકે છે. તેને વન ટાઇમ સેટલમેન્ટ (OTS) કહે છે. આમાં બેંકો લોનની બાકીની રકમ લેતી નથી, પરંતુ માત્ર 10થી 50 ટકા રકમ લે છે અને બાકીની રકમ માફ કરે છે. મોટાભાગની બેંકો સેટલમેન્ટ ટેક્સની રકમ ભરવા માટે 1 સપ્તાહનો સમય આપે છે. ઓટીએસ દરમિયાન ધ્યાનમાં રાખો આ બાબતો- - લોન સેટલમેન્ટ માટે યોગ્ય કારણ દર્શાવો. - લોન સેટલમેન્ટ દરમિયાન બેંક નક્કી કરે છે તે રકમમાં ઘટાડો કરવા માટે લોન લેનાર પૂછી શકે છે. - લોન સેટલમેન્ટ દરમિયાન બેંકને કરાર અથવા એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવા માટે કહો, જે અનુસાર સેટલમેન્ટ પછી લોન બંધ થઈ જશે અને જો કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, તો તેને સમાપ્ત કરવામાં આવશે. 12 લોન સેટલમેન્ટના નુક્શાન લોન સેટલમેન્ટના નુક્શાન - લોન સેટલમેન્ટ બાદ ક્રેડિટ સ્કોરમાં 50થી 100 પોઇન્ટનો ઘટાડો થાય છે. - સિબિલ રીપોર્ટ અનુસાર, સેટલમેન્ટ કરનારના 12 મહિના સુધી કોઇ લોન મળી શકતી નથી. ત્યાર બાદ મળી શકે છે. - તમારી આર્થિક સ્થિતિ સુધરતા તમે લોનની રકમ ચૂકવાની તમારા સેટલ્ડ એકાઉન્ટને ક્લોઝ્ડ એકાઉન્ટમાં પરીવર્તિત કરવાનો પ્રયાસ કરો. 13 લોન ચૂકવવા માટે અપનાવો આ રીત- લોન ચૂકવવા માટે અપનાવો આ રીત- - એવી જૂની વસ્તુઓ કે જે તમે લાંબા સમયથી ઉપયોગમાં નથી લેતા તો તેને OLX, Quikr પર વેચીને થોડા પૈસા મેળવી શકો છો. - જો તમારી પાસે કોઇ એફડી, મ્યૂચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી, ગોલ્ડ, શેર માર્કેટ વગેરે જેવી સેવિંગ્સને વેચીને અથવા તો ઉધાર રાખીને આર્થિક મદદ લઇ શકો છો. - જો તમારો કોઇ નજીકનો ખાસ મિત્ર અથવા સંબંધી હોય જે આર્થિક રીતે સક્ષમ હોય તો તમે તેની પાસેથી થોડા સમય માટે પૈસા ઉધાર લઇને લોનની ચૂકવણી કરી શકો છો. - જો તમારા પગારમાં 8થી 10 ટકાનો વધારો થયો હોય તો ઇએમઆઇની રકમની ચૂકવણીમાં 5 ટકાનો વધારો કરી દો. તેનાથી તમે 5 વર્ષમાં ચૂકવાતી લોન 3 વર્ષમાં ચૂકવી શકો છો. - તમારી તમામ લોનની લિસ્ટ બનાવો અને તે તમામમાં ચૂકવવાની બાકી રકમની સરખામણી કરો. હવે જેમાં વ્યાજદર વધારે હોય તે લોનની ચૂકવણી સૌથી પહેલા કરો. 14 તમે કઇ રીતે ફસાવ છો લોનની જાળમાં તમે કઇ રીતે ફસાવ છો લોનની જાળમાં લોનમાં ફસાવાના ઘણા કારણો હોઇ શકે છે. તમારા ખર્ચાઓ આવક કરતા વધારે હોવા, અડધાથી વધારે આવક ઇએમઆઇની ચૂકવણીમાં જવી, ઇએમઆઇ અથવા બિલ સમયસર જમા ન કરવા, લોન ચૂકવવા માટે લોન લેવી, શોખ પૂરા કરવા માટે લોન લેવી, દેખાડાના જીવન પાછળ વધારે પડતા ખર્ચાઓ કરવા વગેરે કારણોસર લોન લેવી તમને આર્થિક રીતે ભારે પડી શકે છે. 15 લોનથી બચવાના ઉપાયોઃ લોનથી બચવાના ઉપાયોઃ જો તમે લોન લેવાથી બચવા માંગતા હોય તો તમારે અન્ય વિકલ્પો વિશે વિચારવું જોઇએ. બાય નાઉ પે લેટર જેવી લોભામણી જાહેરાતોથી દૂર રહો. જો તમારે કોઇ આર્થિક નુકસાન અથવા સંકટ હોય તો તમે તમારા પરીવાર કે મિત્રો સાથે વાતચીત કરીને ઉકેલ લાવી શકો છો.

माइकल_जैक्सन 150 #साल जीना चाहता था! किसी सेे हाथ मिलाने से पहले दस्ताने पहनता था! लोगों के बीच में जाने से पहले मुंह पर मास्क लगाता था ! अपनी देखरेख करने के लिए उसने अपने घर पर 12 #डॉक्टर्स नियुक्त किए हुए थे ! जो उसके सर के बाल से लेकर पांव के नाखून तक की #जांच प्रतिदिन किया करते थे! उसका #खाना लैबोरेट्री में #चेक होने के बाद उसे खिलाया जाता था! स्वयं को व्यायाम करवाने के लिए उसने 15 लोगों को रखा हुआ था! माइकल जैकसन अश्वेत था, उसने 1987 में प्लास्टिक #सर्जरी करवाकर अपनी त्वचा को गोरा बनवा लिया था! अपने काले मां-बाप और काले दोस्तों को भी छोड़ दिया। गोरा होने के बाद उसने गोरे मां-बाप को #किराए पर लिया! और अपने दोस्त भी गोरे बनाए शादी भी गोरी औरतों के साथ की! नवम्बर 15 को माइकल ने अपनी नर्स डेबी रो से विवाह किया, जिसने प्रिंस माइकल जैक्सन जूनियर (1997) तथा पेरिस माइकल केथरीन (3 अपैल 1998) को जन्म दिया। वो डेढ़ सौ साल तक जीने के लक्ष्य को लेकर चल रहा था! हमेशा #ऑक्सीजन वाले बेड पर सोता था उसने अपने लिए अंगदान करने वाले #डोनर भी तैयार कर रखे थे! जिन्हें वह खर्चा देता था, ताकि समय आने पर उसे किडनी, फेफड़े, आंखें या किसी भी शरीर के अन्य अंग की जरूरत पड़ने पर वह आकर दे दें, उसको लगता था वह पैसे और अपने रसूख की बदौलत मौत को भी #चकमा दे सकता है, लेकिन वह गलत साबित हुआ। 25 जून 2009 को उसके दिल की #धड़कन रुकने लगी, उसके घर पर 12 डॉक्टर की मौजूदगी में हालत काबू में नहीं आए, सारे शहर के डाक्टर उसके घर पर जमा हो गए, वह भी उसे नहीं #बचा पाए। उसने 25 साल तक डॉक्टर की सलाह के विपरीत, कुछ नहीं खाया! अंत समय में उसकी हालत बहुत खराब हो गई थी , 50 साल तक आते-आते वह पतन के करीब ही पहुंच गया था और 25 जून 2009 को वह इस दुनिया से #चला गया ! जिसने अपने लिए डेढ़ सौ साल जीने का इंतजाम कर रखा था! उसका इंतजाम धरा का धरा रह गया! जब उसकी बॉडी का #पोस्टमार्टम हुआ तो डॉक्टर ने बताया कि, उसका शरीर हड्डियों का ढांचा बन चुका था! उसका सिर गंजा था, उसकी पसलियां कंधे हड्डियां टूट चुके थे, उसके शरीर पर अनगिनत सुई के निशान थे, प्लास्टिक सर्जरी के कारण होने वाले दर्द से छुटकारा पाने के लिए एंटीबायोटिक वाले दर्जनों इंजेक्शन उसे दिन में लेने पड़ते थे! माइकल जैक्सन की अंतिम यात्रा को 2.5 #अरब लोगो ने #लाइव_देखा था। यह अब तक की सबसे ज़्यादा देखे जाने वाली लाइव ब्रॉडकास्ट हैं। माइकल जैक्सन की #मृत्यु के दिन यानी 25 जून 2009 को 3:15 PM पर, Wikipedia,Twitter और AOL’s instant messenger यह सभी #क्रैश हो गए थे। उसकी मौत की खबर का पता चलते ही गूगल पर 8 लाख लोगों ने माइकल जैकसन को सर्च किया! ज्यादा सर्च होने के कारण #गूगल पर सबसे बड़ा ट्रैफिक जाम हुआ था! और गूगल क्रैश हो गया, ढाई घंटे तक गूगल काम नहीं कर पाया! मौत को चकमा देने की सोचने वाले हमेशा मौत से चकमा खा ही जाते हैं! सार यही है, बनावटी दुनिया के बनावटी लोग कुदरती मौत की बजाय बनावटी मौत ही मरते हैं! "क्यों करते हो #गुरुर अपने चार दिन के #ठाठ पर , मुठ्ठी भी खाली रहेंगी जब पहुँचोगे #घाट पर"... धनवान होना गलत नहीं है ,। बल्कि....... "सिर्फ धनवान होना गलत है" आइए ज़िंदगी को पकड़ें, इससे पहले कि, जिंदगी हमको पकड़ ले❗️ खुल कर जियो दोस्तों, मौत तो अटल सत्य है, उस को तो आना ही है 🙏🙏🌹

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...